________________
પ્રસ્તાવ ૨.
તારે સર્વદા ધર્મ કરવામાં જ ઉદ્યમ કરવો. કેમકે, ધર્મ સર્વ વસ્તુને આપનારે છે. અરે ! સૂર્ય પિતે પણ વૃષલગ્નને (ધર્મને) આશ્રય કરવાથી જ અત્યંત તેજસ્વી થાય છે.”૮૮૦ એ પ્રમાણે પુત્રને શિખામણ આપ્યા પછી શંખરાજાએ ભક્તિથી સાધમિકેનું વાત્સલ્ય કર્યું–સમાનધર્મવાળાઓને ભેજનાદિ સત્કાર કર્યો અને દીનઆદિને ધનનું દાન કર્યું. ૮૮૧ તેમ જ પરમભક્તિપૂર્વક મુનિઓને વહરાવી, પુસ્તકની પૂજા કરી, જેન દેરાસરોમાં ઘણું જ આનંદજનક અઠ્ઠાઈ ઓચ્છો કર્યા.૮૮૨ પછી અંતઃપુર તથા રત્નો વગેરે શ્રેષ્ઠ વસ્તુઓથી સુશેભિત એવા સર્વ રાજ્યને ત્યાગ કરી તે રાજા દીક્ષા લેવા તત્પર થ.૮૮૩ તે સમયે માટે શબ્દ કરનારાં જાત જાતનાં વાદિ રસપૂર્વક વગડાવવામાં આવ્યાં અને નગરવાસીઓ તથા પિતાના પુત્રથી અનુસરાયલે શંખરાજા, સુવર્ણ તથા મણિઓના અલંકારથી સુશોભિત થઈ પાલખીમાં બેસીને દીક્ષા લેવાની ઉત્કંઠાથી નગરની બહાર નીકળ્યો. ૮૮૪-૮૫
શંખરાજાએ દીક્ષા લીધી. ત્યાં મુનિની પાસે જઈ શંખરાજાએ દીક્ષા માગી એટલે તેમણે પણ તેને પાંચ મહાવ્રત રૂ૫ મણિઓ અર્પણ કર્યા.૯૮ ૬ મદનમંજરી વગેરે તેની ઘણું સ્ત્રીઓ પણ પિતાના પતિને અનુસરી–તેઓએ પણ દીક્ષા લીધી. અથવા સ્ત્રીઓને એજ યોગ્ય છે.૮૮૭ પછી શંખરાજાના મિત્રે પણ શંખરાજાની દીક્ષા સાંભળીને પિતાનાં બને રા સૂરપાળને સેંપી દીધાં અને પોતે ગુરુ પાસે દીક્ષા લીધી.-૯૮ સૂરપાલ રાજા, પિતાના પિતાને તથા દાદાને વંદન કરી પોતાના નગરમાં ગયો અને આખી પૃથ્વીનો શાસ્તા થયા, ૮૯ બીજી તરફ શંખમુનિએ પણ ગુની સાથે વિહાર કર્યો અને સર્વ સાધ્વીઓ પણ ગુની આજ્ઞા લઈ સાવીઓની પાસે ગઈ. ૯૯૦
( ૧૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org