SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ શખરાજની કથા. જોઈએ. મહાવતરૂપ મહારત્નને સંગ્રહ કરવાને તમે આદર કરતુરત જ આરંભ કરે.”૮૭૦ “બહુ સારૂ” એમ કહીને શંખરાજા નગરમાં ગયા અને તે ન્યાયી રાજાએ સૂરપાલ નામના પોતાના પુત્રને રાજ્યાસને બેસાડ્યો.૮૭૧ તે સમયે એ ના રાજા જ્યારે રાજ્યાસને બેઠો ત્યારે, જો કે તે કુશળ હતો તોપણ તેના પિતાએ પ્રેમથી આવી શીખામણ આપવા માંડી,૮૭૨ “હે પુત્ર ! તારે ન્યાયથી જ લક્ષ્મી મેળવવી, કેમકે તેવી લક્ષ્મી સ્થિર થાય છે અને કીતિ કરનારી થઈ પડે છે. જેમ શરીરમાં બળપૂર્વક જે વધારે થાય છે તેજ ઉત્તમ ગણાય છે નહિ કે સોજા આવવાથી !૯૭૩ હે પુત્ર! તારે પૃથ્વી પર અત્યંત રાગી ન થવું તેમ સર્વથા વિરક્ત પણ ન થવું, પણ મધ્યસ્થપણે વશમાં રહેનારી કે સ્ત્રીને ઉપભોગ કરવામાં આવે તેમ તારે પૃથ્વીને ઉપભોગ કરવો.૮૭૪ આ પૃથ્વી, વેશ્યા સ્ત્રીની પેઠે કોઈની થઈ નથી અને કોઈની થશે નહિ. તે કેઈને અત્યંત સ્વાધીન કે વશ થતી જ નથી. ૮૫જે કે પૃથ્વીનો મોટો ભાગ તારા તાબામાં છે તે પણ તેથી તારે પ્રમાદી બનીને ગર્વ કરવો નહિ. કેમકે, આપણે સાંભળીએ છીએ કે રાવણ પિતે પણ ગર્વથી દુર્દશાને પામ્યા હતા. “હે વત્સ ! તારે કેઈને પણ કદી વિશ્વાસ કરે નહિ, કેમકે વડવાનલે સમુદ્રને વિશ્વાસ પમાડીને શું કર્યું છે તે તું જાણે છે? ૮૭૭ હે પુત્ર ! ઉત્તમ, મધ્યમ કે અધમ હરકેઈતારા સેવક ઉપર તારે સમાન ભાવ રાખવે, અને ત્રાજવાના કાંટાની પેઠે સમાન સ્થિતિમાં રહેવું, જેથી તે પ્રમાણપાત્ર થઈશ.૭૮ વળી જેમ નદીઓ પર આગ્રહ ન કરવું જોઈએ તેમ, તારે કોઈ સ્ત્રીઓ પર પણ આગ્રહ કરે નહિ-સ્ત્રીઓને વશ થવું નહિ. કેમકે નદીઓ જેમ સમુદ્રમાં ઘસડી જાય છે તેમ, સ્ત્રીઓ પણ (પુરુષોના મનરૂપ) જોતરાંને ખેંચીને તેઓને સંસારરૂપ સમુદ્રમાં ઘસડી જાય છે.૭૯ હે વત્સ! ( ૧૨ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy