SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૨. આવેલાં જિનમંદિરમાં અઠ્ઠાઈ ઓચ્છવ કર્યા, દીનઆદિને–ગરીબ લે કેને દાન આપ્યાં અને પછી સર્વ ઋદ્ધિવડે શંખ રાજાની સાથે ગુરુ પાસે જઈને હર્ષપૂર્વક દીક્ષા લીધી. ૮૫૮–૮૫૯ શંખ રાજ પણ ગુરુને તથા પિતાને પ્રણામ કરી પિતાના વિયોગથી વ્યાકુળ અંતઃકરણે નગરમાં પાછા આવ્યા. ૮૬° તેણે પિતાના રાષ્ટ્રના દરેક ખેતરોને પાણી પૂરું પાડી ધાન્યસંપત્તિ વધારી મૂકી અને વર્ષાકાળના ઉન્નત મેઘની પેઠે પ્રજાને ધનવાન બનાવી. ૮૬૧ પેલી તરફ નરોત્તમ મુનિ ગુરુ સાથે પૃથિવિ ઉપર વિહાર કરતા કરતા અનુક્રમે ગીતાર્થ બન્યા અને સર્વ સાધુઓમાં શ્રેષ્ઠ થયા.૮૬ર એક દિવસે તે મુનિ વિહાર કરતા કરતા રત્નપુર આવ્યા એટલે શંખરાજા તેમનું આગમન સાંભળી તેમને વાંચવા માટે ગયો.૮૬૩ રાજા, વિનયથી નગ્ન થઈ ગુની પાસે બેઠે એટલે ગુરુએ સંસાર સમુદ્રમાં નૌકા સમાન દેશના આપવાનો આરંભ કર્યો-૮૬૪ આ અનંત સંસારમાં ભ્રમણ કરી રહેલા સંસારીઓ માટે કઈ એક છાયા વૃક્ષની પેઠે આ મનુષ્ય જન્મ, અમૂલ્ય તથા દુર્લભ છે.૮૬પ વળી હે ભવ્ય જીવો ! તે મનુષ્ય જન્મમાં પણ આર્યક્ષેત્ર તથા ઉત્તમ કુળ વગેરે દુર્લભ છે, અને તેમાં સુગુરુને સંયોગ થવો તે પણ અતિદુર્લભ છે. કદાચ પુણ્યયોગે તેવો સંયોગ જે પ્રાપ્ત થાય તો પરદેશ ગયેલા વેપારીઓ જેમ ર લાવે તેમ જરૂર તે ગુરુના હાથમાંથી મહાવ્રતરૂપી રને તમે લઈ લેજો.૮૬૬-૬૭ નહિ તો યાદ રાખજો કે, એવા રત્ન આપનાર ગુરુ ફરી દુર્લભ થઈ પડશે અને પછી તમે મેળવેલ ખજાને ગમે એટલે હાથ પંપાળતા રહેશે.”૮૬૮ આ દેશના સાંભળીને મહારાજા શંખે, વીર્ય તથા બળથી ઉલ્લાસમાં આવી જઈ મહાવ્રતરૂપ રત્નોની માગણી કરી.૮૬૯ ત્યારે ગુરુએ કહ્યું –હે મહાભાગ! આમાં વિલંબ કરવો ન (૧૨૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy