________________
પ્રસ્તાવ ૨.
થઈ ૮૯૮ અને પછી શુદ્ધ બુદ્ધિવાળા તે આશાધરે, સમગ્ર દેશમાંથી સંધ એકઠો કર્યો અને શત્રુંજય મહાતીર્થ આદિ સાત તીર્થ ક્ષેત્રોમાં જિન ધર્મની મોટી પ્રભાવના કરવા માંડી તેમજ નિષ્કપટભાવથી યાત્રા કરીને સંઘપતિપણું સંપાદન કર્યું. ૮૯૯-૯૦૦ પછી બે વર્ષો વીતી ગયાં એટલે તે અમાપ બુદ્ધિવાળા સંઘપતિએ, સંઘના સાત નાયક સાથે જિનયાત્રા કરી,૯૦૧ તેમજ નવી નવી જિનપ્રતિમાઓ સ્થાપીને તથા પુસ્તકો લખાવીને તેણે જિનમંદિરને અને પિષધશાળાઓને ભરપૂર કર્યા. ૯૦૨
આશાધરનું સ્વર્ગગમન. એ રીતે જાત જાતનાં ધર્મકૃત્યો હમેશાં કરીને સાધુ આશાધર સુખના સ્થાનરૂપ સ્વર્ગમાં ગયા. ૦૩
આશાધરના નાનાભાઈનું નામ દેશલ હતું; તેનો યશ દેશ-વિદેશમાં પ્રસરી રહ્યો હતો અને આશાધરના રવર્ગગમન પછી વિષ્ણુના વક્ષસ્થળમાં જેમ કૌસ્તુભ મણિ રહે છે તેમ, એના પર ઘરને સમગ્ર ભાર પ્રાપ્ત થયો.૯૦૪ દેશલની સ્ત્રીનું નામ “ભેલી” હતું. તેનું મન માયા-દંભથી રહિત હતું અને તેણી તે કાળની સતી સ્ત્રીઓમાં શિરોમણી હતી.૦૫ જે કે, કામરૂપી કેસરીસિંહ અત્યંત બળવાન છે પણ તેણીએ શીલરૂપ ખીલા સાથે તેને એ તો જકડી દીધો હતો, જેથી એના મૂળરૂપ પાંજરામાંથી તે બહાર નીકળી શકતે નહ.૯૦૬
દેશળને વંશ. એ સ્ત્રીએ ત્રણ પુત્રને જન્મ આપ્યો. જેઓના જન્મ સમયે લેભ, પાપ તથા કલિયુગ-આ ત્રણેને ભયની કંપારી છૂટી ગઈ 9 તેમાં સૈથી મેટાનું નામ સહજ હતું. એ સદા ધર્મકર્મમાંજ
(૧૩ર),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org