________________
પ્રસ્તાવ ૨.
કામ કરવામાં સમ એ નાકરને લીધે ગરુડને લીધે જેમ વિષ્ણુ સુખી થાય તેમ, સુખી થયા. ૮૩૭ એક સમયે બરાબર ભાજનના સમયે તે ગામપતિને ઘેર સાક્ષાત્ ધર્મના જેવા એક માસના ઉપવાસી મુનિ, પારણું કરવાના હેતુથી વહેારવા માટે આવ્યા; ૮૩૮ એટલે જંગમ કલ્પવૃક્ષ જેવા તે મુનિને પાતાને ઘેર આવેલા જોઇ, ગામધણી પ્રસન્ન થયે! અને પેલા મુનિની સામે ગયા. ૮૩૯ એ સમયે અત્યંત હર્ષને લીધે તેનાં ગાત્રા પ્રરુદ્ઘ થયાં અને મુનિના પગમાં પડી તેણે પેાતાની પત્નીને આજ્ઞા કરી કે,૮૪૦ હે પ્રિયા ! જે સુદર દૂધપાક તૈયાર કર્યાં છે તે અહીં લાવ અને આ સુપાત્રને તેનુ દાન કર કેમકે આવું દાન અનંતગણું થાય છે. ૮૪૧ તે સાંભળી પેલી સ્ત્રી પણ અત્યંત પ્રસન્ન થઇ અને દૂધપાક, સાકર તથા ઘી પેલા સેવક દ્વારા મંગાવીને મુનિ આગળ હાજર કર્યો. ૮૪૨ પછી શુદ્ધ ભાવવાળી તે સ્ત્રી, પેાતાના પતિની આજ્ઞા પ્રમાણે પરમ ભક્તિપૂર્વક એ શુદ્ધ દૂધપાકનું દાન કરવા માટે તૈયાર થઇ. ૮૪૩ ત્યારે સાધુએ તેની આગળ, સંસાર સમુદ્રથી તરી જવા માટેનું જાણે એક વાહન તૈયાર કર્યું દાય એવું પોતાનુ પાત્ર ધર્યું. ૮૪૪ પેલી સ્ત્રીએ પણ સાકર તથા ઘીની સાથે પરમ હ પૂર્વક દૂધપાકનું દાન કર્યું અને તે દાન કરાવનાર તેના પતિએ ‘આપ આપ’ એમ વારંવાર કહ્યું, ૮૪૫ જેથી દાન કરનારી પેલી સ્ત્રી તથા દાન આપનારે તેના પતિ પ્રસન્ન થયાં અને તેઓએ મનની ઉદારતા, ધનની સંપત્તિ તથા સુપાત્રના યાગથી અનંત પુણ્ય ઉપાર્જન કર્યું. ૮૪૬ વળી દાન આપતાં આપતાં પેલી સ્ત્રી મને ધન્ય છે એમ અત્યંત હર્ષ પામતી હતી તથા દાન ગ્રહણ કરનારા મુનિ પણ આવા પ્રસન્ન મનથી મને દાન અપાય છે એમ માનીને પાતાને ધન્ય માનતા હતા. ૮૪૭ તેમજ પેલા સેવકે પણ હર્ષથી અપાતા તે દાનની મહા
( ૧૬ )
Jain Education International
For Private & Personal Use Only
ઃઃ
www.jainelibrary.org