________________
પ્રસ્તાવ ૨.
તે વિદ્યાધર,એ કહેવતની સત્યતા જેવાને પૃથ્વી પર આવ્યો. ૮૧૫ તે સમયે પોલીસક નામના ગામમાંથી સમિધો લેવાને ગયેલે કેાઈ એક તાપસ તેના જોવામાં આવ્યા. ૮૧ ૬ એટલે તે વિદ્યાધરે મુનિની પાસેજ ચરી રહેલી એક (માયાવી) ગાય ઉત્પન્ન કરી. તે ગાયને સ્થૂલ શરીરવાળી જોઇને ઋષિએ માની લીધું કે, આ તે ખરેખર કામધેનુ છે. ૮૧૭ પછી તે ગાય જ્યારે આકાશમાં ઉડી, ત્યારે પેલે તાપસ પણ પોતાના મનુષ્ય શરીરથી જ સ્વર્ગમાં જવાની ઈચ્છાથી ગાયને પુંછડે વળગી પડો. ૮૧૮ તે જ ક્ષણે વિદ્યાધરની તે માયા, વૈતા
લ્ય પર્વતમાં જઈ પહોંચી અને તેને પુછડે વળગેલા પેલા તાપસે પણ તે પ્રદેશને જ સ્વર્ગ માની લીધું. ૮૧૯ ત્યાં વિદ્યારે તેમને પિતાને ઘેર લઈ જઈ લાડુ ખવરાવ્યા, ત્યારે મુનિએ તે મોટા મેટા તે લાડુને જ સ્વર્ગનાં ફળ માની લીધાં. ૮૨૦ અને તે સ્વાદિષ્ટ લાડુથી તૃપ્ત થઈ હદયમાં તેણે વિચાર કર્યો કે ખરેખર આટલા દિવસ સુધી મારે જન્મ વ્યર્થ જ ગયે; ૮૨૧ પણ હવે સ્વર્ગનું આ અપૂર્વ ભેજન પામીને હું કૃતાર્થ થયો છું; અને ગામના સર્વ લેકેને પણ આ ભજનનાં હું દર્શન કરાવું, કેમકે પરદેશમાં ગમે તેટલી લક્ષ્મી સંપાદન કરી હોય તે પણ તેથી શું ? એ લક્ષ્મી, બીજા બેટમાં જેમ સૂર્યની શોભા જેવામાં આવતી નથી તેમ, પિતાના માણસના જોવામાં આવતી નથી. ૮૨૨-૮૨૩ આવો નિશ્ચય કરી તે મુનિ, ચરવા માટે જતી પેલી ગાયના પુછડે ફરીથી વળગી પડ્યો અને સુતરના તાંતણુની પેઠે પૃથ્વી પર આવી પહોંચ્યો. ૮૨૪ તેણે સત્વર પિતાના ગામમાં જઈ સ્વર્ગના દક-ભજનની વાત સર્વ માણસ આગળ કહેવા માંડી. કેમકે તરાના પેટમાં ગયેલી ખીર કદી સ્થિર રહે? ૮૨૫ પછી તે તેણે વારંવાર ગાલ ફુલાવી ફુલાવિને સ્વર્ગનાં ફળનું વર્ણન કરવા માંડયું અને ગામનાં લેકીને તે
(૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org