________________
પ્રસ્તાવ ૨.
તે પિતાને કામે લાગ્યો. ગામધણીએ પણ તે જ ક્ષણે નવું ઘર તૈયાર કરાવ્યું.૯તે પછી એક દિવસે ગામધણની સ્ત્રી, પોતાનાં નવાં ધોયેલાં વસ્ત્રાને ઘરના ઓરડાની અંદર રહીને ધૂપ આપીને સુગંધી કરી રહી હતી, જેથી અંદરના ભાગમાં પ્રસરેલો ધૂમાડો વસ્ત્રોમાંથી બહાર નીકળવા લાગ્યો. તે જોઈને પેલા મૂર્ખ ચાકરે તે વસ્ત્ર પર કાદવ, ધૂળ વગેરે નાખ્યાં. આ સમયે ગામધણુની સ્ત્રી–તારા, કઈ કામ પ્રસંગે ઓરડાની બહાર ગઈ હતી, પણ તે પાછી અંદર આવી અને પિતાનાં વસ્ત્રોને એ રીતે બગાડેલાં જોઈ તેણે પિકાર કરી મૂક્યો કે,૮–૮૦૦ અરે ઓ પાપી! દુરાચારી ! મૂર્ખ ! તેં આ શું કર્યું ? હમણાં જ ધોયેલાં આ વસ્ત્રોને તેં આ પ્રમાણે કેમ બગાડવાં ? ૮૦૧ તે સાંભળી તેણે કહ્યું કે, મને મારા શેઠે આજ્ઞા આપી હતી તે જ પ્રમાણે મેં કર્યું છે. કેમ ? આ મને પિતાને હિતકારક નથી? જે હું મારા સ્વામીનું કહેલું નહિ કરીશ તે પછી બીજું શું કરીશ તે મને કહે.”૮ ૦૨ પછી પેલી સ્ત્રીએ પણ પિતાના ધણુને બોલાવીને નોકરનું તે કૃત્ય બતાવ્યું એટલે તેણે કહ્યું કે, હશે, ફરીથી તું તારાં વાને તને રુચે તેવાં જોઈ લેજે. ૮૦૩ ત્યારે પેલી સ્ત્રીએ કહ્યું કે ધોવાની વાત પછી, પણ પ્રથમ આ મૂખને ઘરમાંથી બહાર કાઢે. કેમકે, તે હમેશાં આવા સંતાપ જ કરાવ્યા કરે છે. ૮૦૪ તે સાંભળી ગામધણું બોલ્યો આ એફ્લો જ ઘરનું સઘળું કામ કરવાને સમર્થ છે, માટે સૂર્ય જેમ પિતાના પગ વિનાના સારથિનો ત્યાગ કરતા નથી તેમ, આપણે પણ આને ત્યાગ કરવો ન જોઈએ.”૮ ૦૫ પછી પેલી સ્ત્રી બેલી, “હે નાથ ! ઘરનું સઘળું કામ હું પોતે કરીશ, પણ આ મૂખને તે હવે કાઢવો જ જોઈએ. કેમકે, જેથી કાન તૂટી જાય તે સોનું પણ શું કામનું ૮૦૬ વળી હે સ્વામી! આવા મૂર્ખ ચાકરથી તમને કોઈ જાતનો ગુણ
( ૧૨ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org