________________
પાત્રદાન વિષે શંખરાજ થા.
કહેવું.”૭૮૭ આવી શિખામણ આપીને તેણે ભોજન કર્યું અને પેલે મૂર્ખ શિરોમણી તેને કામે લાગ્યું.૮૮ હવે એક દિવસે એવું બન્યું કે પેલે ગામધણી. દેવીની યાત્રા નિમિત્તે ગામમાં જ્યાં ઉત્સવ થતો હતા, ત્યાં બેઠો હતો, તેવામાં તેનું ઘર સળગ્યું, એટલે તેની સ્ત્રીએ પિલા મૂખને તેને બોલાવવા માટે મોકલ્યો.૭૮૯ તે વેળા ગામની પાસેના એક બગીચામાં દેવીની યાત્રા નિમિત્તે આવેલા લોકે એકઠા મળ્યા હતા અને તેઓની વચ્ચે ગામધણું બેઠા હતા, જેથી પેલા મૂર્નાધિરાજને ગામધણીએ આપેલી પ્રથમની શીખામણ યાદ આવી અને તે ઘણું લાંબા સમય સુધી મૌન ધરીને ત્યાં ઉભો રહ્યો. પછી ગામધણીએ જ્યારે પૂછ્યું ત્યારે તેણે તેના કાન પાસે જઈને કહ્યું કે, તમારું ઘર અગ્નિથી બળી જાય છે. આ સાંભળી ગામધણીએ પોતાના ગામ સામે દૃષ્ટિ કરી, ત્યારે તો દૂધ અને પાણી જેમ એક થઈ જાય તેમ, આકાશમાં કેવળ ધૂમાડે જ તેના જેવામાં આવ્યો.9૮૦-૭૯૨ પછી ગામપતિએ કહ્યું કે, અરે એ મૂર્ખ ! તું આટલે સુધી આવ્યો શા માટે ? અને જો આવ્યો તો મેં કહ્યું કેમ નહિ ? શા માટે ખીલાથી જડી દીધો હોય તેમ ઉભે રહ્યો ? ૭૯૩ ત્યારે તેણે કહ્યું કે, મને મારી શેઠાણીએ મોકલ્યો તેથી હું આવ્યો છું. અહીં તમે લેકના મેળાવડામાં બેઠા હતા તેથી તમારી શિખામણ પ્રમાણે મેં તમને કહ્યું નહિ. ૭૯૪ તે પછી ગામપતિ ગામના લેકેની સાથે ઉતાવળે ઉતાવળે ઘેર ગયો પણ તેટલામાં તે ઘર અગ્નિથી બળીને ભસ્મ થઈ ગયું હતું.૭૫ એ વખતે ગામધણીએ પેલા મૂર્ખ ચાકરને કહ્યું કે, તે કેવો મૂર્ખ દેખાય છે? જ્યાં ધૂમાડો જોવામાં આવે ત્યાં કેઈને પૂછ્યા વિના પિતાની મેળે જ ધૂળ તથા કાદવ વગેરે નાખી દેવાં જોઈએ. ૭૯૬ તે સાંભળી પેલાએ કબૂલ કર્યું કે, હવે પછી એમ કરીશ, અને પછી
( ૧૨૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org