SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ આટલા બધા આગ્રહ પકડવાનું કારણ શું ? શા માટે અધાએ કહ્યુ છતાં અને ગધેડે માર્યાં છતાં તે તેનું પૂછડું જોયું નહિં ૭૭૮ ત્યારે તેણે કહ્યું કે, હે દેવ ! મારી માતાએ મને કહ્યું હતું કે, હે પુત્ર ! તું હરાઇ કામમાં આવે શિથિલ છે, તેથી તું તારૂ પેટ કેવી રીતે ભરીશ ? માટે તારે બીજા કાઇ, જે કંઇ કરવાનું કહે તેમાં ખૂબ આગ્રહ પકડી રાખવા, જેથી લેાકામાં સદાકાળ તું પ્રિય થઇ પડીશ. ”૭૭૯-૭૮૦ આ મારી માતાની શીખા મણુથી મેં ખૂબ આગ્રહ કરીને પૂછ્યું છેડયું ન હતું. કેમકે, એ ગધેડાના માલીકે આ ગધેડાને તું પકડી રાખ ” એમ મને કહ્યું હતું.૮૧ આ પ્રમાણે સાંભળીને ગામધણીએ પોતાના મનમાં વિચાર કર્યો કે, આ તરુણ અત્યંત મુગ્ધ છે-અજ્ઞાની છે, માટે આને મારા નીતિગૃહમાં રાખીને હું શિક્ષણ આપું. ૭૮૨ આવા મનમાં વિચાર કર્યા પછી તેણે પેલા મુગ્ધ માણસને પેાતાના ઘર કામમાં નીમ્યા અને ખાવામાં તથા વસ્ત્ર પહેરવાં વગેરેમાં તેના પર ધ્યાને લીધે હંમેશાં શિખામણ આપવા માંડી,૭૮૩ એક દિવસે ભાજન વખતે તે ગામધણી ગામલેાકાની સભામાં બેઠા હતા, ત્યારે તેની સ્ત્રીએ તેને ખેલાવવા માટે પેલા મુગ્ધ યુવાનને માઢ્યા.૪ તેણે ત્યાં સભામાં જઈને પેાતાની મૂર્ખાઈથી સ લેાકાના સાંભળતાં મોટા શબ્દથી ખુલ્લી રીતે કહ્યું કે, ચાલા, રાખ થંડી થઇ જાય છે. ૭૮૫ તે સાંભળીને સ` સહવાસી લેાકાએ “ અહા ! આ ગામધણી છે, છતાં રાખ ખાય છે” આવી ગામધણીની હાંસી કરી અને પછી તે ગામધણી પણ “ આની મૂર્ખતાને ધિક્કાર છે’ આમ મનમાં વિચાર કરતા ઘેર ગયા.૬ તેણે મૂર્ખને એકાંતમાં બેસાડીને કહ્યું, ‘અલ્યા એ ! હું જ્યારે સભામાં બેઠો હાઉ, ત્યારે તારે જે કંઇ કહેવાનું હોય તે કહેવું નહિ; પણ સભામાંથી હું ઊઠુ* ત્યારે જ Jain Education International પ્રસ્તાવ . 66 ( ૧૨૦ ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy