________________
પાત્રદાન વિષે શંખરાજ કથા.
જઈ પહોંચ્યો. છ૩૦ તે વખતે રાજા નરોત્તમે પોતાના પુત્રનું આગમન જ્યારે જાણ્યું ત્યારે, ચંદ્રના આવવાથી જેમ સમુદ્ર આનંદ પામે તેમ, હર્ષ પામીને રોમાંચિત થઈ ગયો. ૭૩૧ તેણે આખા નગરમાં માડા, ધ્વજાઓ, પતાકાઓ વગેરે બંધાવવાની આજ્ઞા કરી, તેમજ વાળી–ઝાડીને સાફ કરવામાં આવેલા નગરમાં મોટા મોટા ઉત્સવ કરવાની પણ આજ્ઞા કરી. ૭૩૨ અને તે આજ્ઞાને નગરના રક્ષક પુરૂષોએ સર્વ ઠેકાણે જ્યારે અમલમાં મૂકી દીધી ત્યારે, રાજા પોતાના અંતઃપુર અને પરિવારની સાથે નગરમાંથી બહાર નીકળ્યો. ૭૩૩ પેલી તરફ શંખ પણ પિતાના પિતાને આવતો જોઈ હાથી ઉપરથી નીચે ઉતરી પડ્યો અને પિતાની આગળ જઈદેવના કેઈ યાત્રિકની પેઠે પૃથ્વી પર લટી પડ્યો-પિતાને સાષ્ટાંગ પ્રણિપાત કર્યો. ૭૩૪ પછી રાજા પણ હાથી ઉપરથી ઉતરીને કુમારની સામે ગયે એટલે તેઓ બન્ને પિતા-પુત્ર અન્યને મળ્યા. ૩પ તે વેળા શંખકુમારે અત્યંત ભકિતપૂર્વક પિતાના ચરણમાં પ્રણામ કર્યા અને પિતાએ પણ પુત્રને છાતી સાથે ચાંપીને મસ્તક પર ચુંબન કર્યું. ૭૩° પછી કાર્તિક સ્વામી જેમ પાર્વતીના ચરણમાં વંદન કરે તેમ, શંખકુમારે પિતાની માતાના ચરણમાં વંદન કર્યું ત્યારે, તેની માતા પણ હર્ષનાં અશ્રુ વરસાવતી પુત્રને ભેટી પડી. ૭૩૭ તે સમયે માતાનાં એ હર્ષાશ્રુના જળથી શંખકુમારના શરીર પર રોમાંચના અંકુરો ફૂટી નીકળ્યા તે તે યોગ્ય જ ગણાય પણ આશ્ચર્ય એ બન્યું કે તેના સેક્સી લતા એ હર્ષાશ્રુના સિંચનથી એકદમ સૂકાઈ ગઈ. (અર્થાત માતાનાં હર્ષાશ્રુથી શંખકુમારને રોમાંચ થયાં અને તેનો શોક દૂર થા.)૩૦ પછી શંખકુમાર પ્રસન્ન થઈને બીજી માતાઓના ચરણમાં પણ પડ્યો એટલે તે સર્વ માતાઓએ એવારણું લઈને આશીર્વાદ આપ્યા.૭૩૯ તેમ જ બીજા પોતાના પરિવાર
(૧૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org