________________
મલ્લાદનપુર-(પાલનપુર)માં આવ્યું. તે નગરમાં પ્રવેશ કરતાં તેને સારા શકુનો થયા અને તેણે હંમેશાં ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. ત્યાં ઉપકેશગચ્છની નિશ્રાએ પાર્શ્વનાથનું મંદિર હતું. તેની આ શેઠ સારસંભાળ રાખતો હતો. તેમને આજડ નામે પુત્ર થયો. આજડને ગેસલ નામે પુત્ર થયો. ગેસલને ગુણમતી ગ્રીથકી અસાધર, દેસલ અને લાવણ્યસિહ નામે ત્રણ પુત્રો થયા. પિતાએ તેઓને અનુક્રમે રત્નશ્રી, ભેળી અને લક્ષ્મી એ ત્રણ કન્યાએ પરણવી. દેવયોગથી ગેસલ નિધન થયો અને થોડા દિવસમાં મૃત્યુ પામ્યો. આશાધરે પિતા મૃત્યુ પામવાથી બાલ્યાવસ્થામાં ઘરનો બધો ભાર ઉપાડી લીધો. એક વખત દેવગુપ્તસૂરિને આશાધરે પોતાની જન્મપત્રિકા બતાવીને પૂછ્યું કે “ભગવાન ! હું કયારે ધનવાન થઈશ ?” ગુરુએ કહ્યું કે “તને થોડા દિવસમાં પુષ્કળ ધન મળશે, પરંતુ તને દક્ષિણ દિશામાંથી ધનને લાભ થશે. ત્યાર પછી આશાધર દક્ષિણમાં દેવગિરિ નગરમાં પિતાના ભાઈઓને મોકલી નિરંતર વેપાર કરવા લાગ્યો અને ત્યાંથી તેણે પુષ્કળ લક્ષ્મી મેળવી.
" એક દિવસે તેણે ગુરુને વિનતિ કરી કે આપ વૃદ્ધ થયા છે તો કેઈને આચાર્યપદ આપો. આચાર્યે કહ્યું કે સચ્ચિકાદેવીના આદેશ સિવાય કેઇને આચાર્યપદ અપાતું નથી આવી ગચ્છની મર્યાદા છે. ત્યાર પછી તે શ્રેષ્ઠીના આગ્રહથી દેવગુપ્તસૂરિએ ૧ઊકેશગચ્છની સ્થિતિ કહીઃ
ઊકેશગપૂક્કમ પાર્શ્વનાથના શિષ્ય શુભદત્ત ગણધર
કેશીગણધર
સ્વયંપ્રભસૂરિ
(૧) રત્નપ્રભસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org