SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પાત્રદાન વિષે શંખરાજ કથા. પ્રાપ્ત થયો. ૧૦ તે પછી એના પિતા નરોત્તમ રાજાને પિતાના પુત્રની શોધ મળી એટલે તુરતજ તેણે તેને બોલાવવા માટે બે ઊંટસ્વારને શંખરાજા પાસે મોકલ્યા.૧૯તેઓ, ઘણું ઝડપથી ત્યાં આવ્યા અને શંખરાજાના દ્વારમાં ઉભા રહ્યા. છડીદારે એ ખબર રાજાને આપી અને પછી રાજાની આજ્ઞાથી તેઓને અંદર દાખલ કરવામાં આવ્યા. ૧૨ તેઓએ અંદર જઈને રાજાને પ્રણામ કર્યા ત્યારે રાજા પણ તેઓને પિતાના પિતાના સેવક તરીકે ઓળખીને હર્ષથી પ્રફુલ થયેલા શરીરે એકાએક ભેટી પડ્યો. ૧૩ ઉપરાંત પોતાના દેશના વાયુ પણ આનંદ ઉપજાવે છે તો પછી પોતાના દેશનો માણસ આનંદ ઉપજાવે તેમાં શું નવાઈ હોય ? ૭૧૪ પછી સ્વચ્છ મનવાળા શંખકુમારે, પોતાનાં માતા પિતાનું, સમગ્ર પરિવારનું તથા આખા રાજ્યનું કુશળ વૃત્તાંત તેઓને પૂછ્યું; ૧૫ ત્યારે તેઓએ કહ્યું કે, હે દેવ ! ત્યાં સર્વે કુશળ છે, તો પણ આપના દર્શનરૂપી મહાન ઔષધિથી હવે ત્યાં વિશેષ કુશળ થશે. ૭૧૬ એમ કહીને તેઓએ નોત્તમ રાજાનું આજ્ઞાપત્ર શંખરાજાને નિવેદન કર્યું એટલે ખે પણ પ્રીતિનું જાણે સર્વસ્વ હોય તેવું એ પિતાના પિતાનું આજ્ઞાપત્ર ભક્તિથી ગ્રહણ કર્યું, 9૧૭ અને તેને ઉખેળીને સાવધાન મનથી આ પ્રમાણે વાંચવા માંડયું – સ્વસ્તિ શ્રીરત્નપુર નગરથી રાજા નરોત્તમ, શંખ સમાન સુશોભિત પુત્ર શંખને અત્યંત પ્રીતિથી પ્રકૃદ્ધિત અંતઃકરણે આજ્ઞા કરે છે કે, હે પુત્ર ! જે દિવસે મને પૂછ્યા વિના તે કેઈક પ્રદેશ તરફ અહીંથી પ્રયાણ કર્યું છે તે દિવસથી આરંભીને મારી નિદ્રા, ભૂખ તથા આનંદ ચાલ્યાં ગયાં છે, માટે સત્વરે અહીં આવીને તારા દર્શનરૂપ નેત્રાંજનથી મારાં તથા તારી માતાનાં નેત્રના પડળને હવે તું દૂર કર”. ૭૧૮–૭૨૧ (૧૧૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy