________________
પાત્રદાન વિષે શંખરાજ કથા,
લગ્ન કર્યા.૬ ૬૯ એ સમયે જ્યારે પહેરામણ આપવાને વખત આવ્યો, ત્યારે રાજાએ મનમાં વિચાર કર્યો કે, કન્યાને લાવી આપનારા હરકોઈ પુરુષને મારું અધું રાજ્ય આપી દેવાનો તો મેં સ્વીકાર કર્યો જ છે, જેથી અધું રાજ્ય તે મારે આને આપવાનું જ છે; વળી મારે પુત્ર નથી માટે કઈ સુપાત્રને જેમ મન્ત્ર આપવામાં આવે તેમ, આને મારું સમગ્ર રાજ્ય અર્પણ કરી દઉં.૬૭૦–૬૭૧ આ વિચાર કરી તેણે મંત્રીઓ, સામંત તથા રાણુઓની પણ તે બાબતમાં સંમતિ લીધી અને પછી શંખકુમારને પિતાના મહેલ ઉપર લઈ જઈને પોતાના આસન ઉપર તેને બેસાડી દીધા. ૭૨ પછી રાજાએ તેના લલાટમાં ભાગ્યરૂપ આવાસની સ્થિરતા કરવા માટે જાણે શાસનરૂપ પટ્ટી મારવામાં આવતી હોય તેમ, ચંદનનું તિલક કર્યું, ૬૭૪ અને ડાબા તથા જમણા હાથથી તેનું મસ્તક પકડી રાખી, જાણે અક્ષર લખતે હોય તેમ, તિલક ઉપર ચોખા ચઢવા.૪ તે પછી રાજા, પોતે મસ્તક નમાવીને તે રાજકુમારને નમ્યો એટલે મસ્ત્રીઓ, સામતિ તથા સર્વ નગરવાસીઓ પણ તેને નમ્યા.૭૫ તે સમયે માંગલિક આચારની પ્રવૃત્તિ ચાલુ થઈ, વાદિ વાગવાં લાગ્યા, મંગલધ્વનિ થવા લાગ્યાં અને રાજાની રાણીઓના તથા ભાટ ચારણના જયજય શબ્દ થઈ રહ્યા.૬ જેમ વિષ્ણુની અધોગના લક્ષ્મી છે તેમ, શંખકુમારની મુખ્ય પટ્ટરાણી તરીકે મદનમંજરીને પણ તેની સાથે અભિષેક કરવામાં આવ્યું. એ રીતે રાજાએ પોતાનાં નગર, ખાણો, ઉત્તમ ગામ, મહેલો, ખાના, ઘેડા તથા હાથીઓ-આ સર્વ તથા બીજું જે કંઈ હતું તે બધું રાજકુમારને અર્પણ કરી દીધું.૮ માત્ર એ રાજકુમાર પિતે લગભગ સર્વ વિષયને જાણતોજ હતું, જેથી રાજાએ તેને શિખામણ આપવી અયોગ્ય માનીને કોઈ પ્રકારની શિખામણ આપી નહિ. કેમકે સરસ્વતી
(૧૦૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org