________________
પ્રસ્તાવ ૨.
તે તમને રેગ્ય નથી.”૬૩૫ એ પ્રમાણે નગરવાસી લેકાએ રાજાને ઘણું કહ્યું તો પણ તે સર્વ, વજમાં નખના લખાણની જેમ વ્યર્થ જ થયું. ૩૬ અને ઉલટા જાણે અપરાધી હેય તેમ, કઠોર ભાષણ કરનારા ઉદ્ધત નીચ માણસોદ્વારા ધક્કા મરાવીને રાજાની આજ્ઞાથી તેઓને કાઢી મૂકવામાં આવ્યા. ૩૭ તે પછી સરદેવ પિતાની સ્ત્રીના વિયોગરૂપ અગ્નિથી અંતઃકરણમાં અત્યંત બળવા લાગ્યો અને વૃક્ષની પેઠે સૂકાવા લાગ્યો. ૩૧ જેમ ચક્રવાક પક્ષી પ્રિયાના વિરહથી વિહૂળ થઈને વિલાપ કરે તેમ, એ વિલાપ કરવા લાગે અને જેમ કોઈ તૃષાતુર મનુષ્ય સરોવરની આસપાસ ભમ્યા કરે તેમ, રાજમહેલની આસપાસ ભમવા લાગ્યો.૬૩૯ તેને, તાપથી તપેલા મનુષ્યની પેઠે માણસમાં, વનમાં, કઈ રંગમેળાપમાં, ગામડામાં કે ધનમાં–કેાઈ પણ સ્થળે આનંદ મળતો ન હતો. ૪૦ એક દિવસે દુઃખથી વ્યાકુળ થઈને કોઈ એક બગીચામાં તે ગયે અને ત્યાં કોઈ એક શેવ તપસ્વીનાં તેને દર્શન થયાં. પેલા તાપસે તેને પોતાનાં દુઃખનું કારણ પૂછયું.૬૪૧ ત્યારે તેણે અતિ સર્વ વૃત્તાંત તેની આગળ કહી સંભળાવ્યું. પછી પેલા તાપસે દુઃખી માણસને જેમ ઔષધ આપે તેમ તેને ઉપદેશ આપ્યો અને તે ઉપદેશવડે એક ક્ષણવારમાં મેહનો ત્યાગ કરી વૈરાગ્યથી તેણે દીક્ષા લીધી. ૬૪૨-૬૪૩ એ દીક્ષાનું ઘણું કાળ સુધી પાલન કર્યું અને અંતે આયુષ પૂર્ણ થયે મરણ પામીને તેજ હું રાક્ષસદ્વીપમાં રાક્ષસોનો નાયક થયો.૬૪૪ મેં વિલંગણાનથી જાણી લઈને જિતશત્રુ રાજાનો નાશ કર્યો અને તેના આ દેશને પણ વૈરભાવથી ઉજ્જડ કર્યો.૬૪૫ જે લેકે આ દેશમાં રહેતા હતા તેઓ સર્વે, મારા અત્યંત ભયથી જીવિત લઈને કાગડાઓની પેઠે સત્વર નાસી ગયા.૬૪૬ પછી તે દિવસથી આરંભીને હું રાક્ષસીપમાંથી આવી આવીને કઈ કેાઈ સમયે મારા જાતીય રાક્ષસની સાથે અહીં ક્રીડા કરું છું અને
( ૧૦૬ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org