________________
પાત્રદાન વિશે શંખરાજ કથા.
સ્ત્રીના કટાક્ષે સહન કર્યા નહિ. ૨૫ આવા હેતુથી તે રાજા મેહના આવેશને વશ થઈ ગયો. તેણે પોતાના કુળ ઉપર પ્રાપ્ત થનારે અપયશનો પણ કંઈ વિચાર કર્યો નહિ અને પિતાના માણસો દ્વારા તે શ્રેષ્ઠ સ્ત્રીનું હરણ કરાવી પોતાના અંતઃપુરમાં તેને રાખી.૨૬ પછી સૂરદેવ મહાજનને સાથે લઈ પોતાની સ્ત્રી માટે રાજાની પાસે ગયો અને નમસ્કાર કરી બે હાથ જોડી તેને આ પ્રમાણે કહેવા લાગે,૬૨૭ “પરસ્ત્રીને જે સ્પર્શ કરવામાં આવે તે મહાન પુરુષ પણ અધમ દશાને પામે છે. જેમકે, પૂર્વે (શિવ) પોતે પણ (તેજ કર્મથી) નપુંસકપણું પ્રાપ્ત કર્યું હતું. ૨૮ વળી તમે તે સર્વનાં ક્ષેત્રો (ધર, સ્ત્રી, જમીન વગેરે) ની રક્ષા કરવા માટે એક વાડ જેવા છે છતાં તમે પોતે જ તમારા રક્ષારૂપ કર્મને નાશ કરે તો પછી રક્ષણ કેણ કરશે ? રથ હે રાજા ! પરસ્ત્રી, દુર્ગતિનાં દ્વાર દેખાડવામાં એક દીવી છે, માટે તેનાથી તો તાપના ભયથી જેમ દૂર રહેવું જોઈએ તેમ, દૂર જ રહેવું. ૩૦ હે દેવ! જે પુરુષે પરસ્ત્રીમાં બુદ્ધિ સરખી પણ કરી હોય તેને તે આ પૃથ્વી ઉપર અપકીતિને ઢોલજ વાગી ચૂક્યો એમ સમજવું ૬૩૧ હે દેવ પૂર્વે રાવણ પોતે પણ પરસ્ત્રીનું હરણ કરીને પોતાની ઈચ્છા પૂર્ણ કર્યા વિના જ મરણ પામ્યો અને મરીને નરકે ગયો.૬૩૨ વળી જેમ આંબાના વૃક્ષ ઉપર તુંબડી લટકાવી હોય તો તે કંઈ શોભે નહિ તેમ, તમારી પાસે આ સ્ત્રી શોભતી નથી, માટે હે દેવ ! તમે મારા પર પ્રસન્ન થાઓ અને વાણીયાને યોગ્ય એવી મારી સ્ત્રી અને અર્પણ કરે.”૬૩૩ સરદેવે એમ કહ્યું તે પછી સર્વ મહાજને નમસ્કાર કરીને રાજાને કહ્યું-“હે દેવ ! આની સ્ત્રી અને પાછી આપો કેમકે રાજાઓ ન્યાયના સ્થાપક હેઈને કદી અન્યાય કરેજ કેમ ૩૪ વળી બીજી રાજકન્યાઓ ઘણી છે છતાં કલ્પલતાઓમાં કડવી ઘસેડીની જેમ અંતઃપુરમાં આને રાખવાનો આગ્રહ
( ૧૦૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org