________________
પાત્રદાન વિશે ખરાજ કથા.
-
-
દેવીએ કહ્યું કે, હે વત્સ! બોલ, હું તારું યું કાર્ય કરું ? પ૭૩ તે સાંભળી શંખે કહ્યું કે, હે દેવિ ! કાગડે જેમ બાળકના હાથમાંથી પૂરી લઈ જાય તેમ, કેાઈએ આવીને સ્વયંવરમાંથી રાજપુત્રીનું હરણ કર્યું છે. પ૭૪ જે કે સ્વયંવરમાં ઘણું રાજાઓ એકઠા મળ્યા હતા, છતાં તેઓના દેખતાં આગળના ભાગમાંથી જ કેઈએ રાજકુમારીનું હરણ કર્યું છે અને તે હરણ કરનારો કોઈ એક સિદ્ધની પેઠે રાજકન્યાનું હરણ કરીને ક્યાં ગયો છે તે જાણવામાં આવતું નથી,૫૭૫ માટે હે દેવિ ! જ્ઞાનદ્વારા જાણીને તમે મને કહે કે તે કન્યા ક્યાં ગઈ છે અને કેણે તેનું હરણ કર્યું છે ? જેથી તમારી કૃપાને લીધે તેને હું અહીં લાવું. પ૭૭ પછી દેવીએ કહ્યું – “હે વત્સ ! તે રાજકન્યાનું જેણે હરણ કર્યું છે તેને હું જાણું છું, માટે તું કહે તો એક ક્ષણવારમાં હું તને ત્યાં લઈ જાઉં.” પ૭૭ તે સાંભળી “ બહુ સારૂ” એમ શંખકુમારે કહ્યું, એટલે દેવીએ જે સ્થળે પિલી કન્યાને રાખવામાં આવી હતી ત્યાં આકાશમાગે તેને લાવી મૂક્યો. પ૭૮ એ રીતે મણિના અલંકારોથી શોભી રહેલા તે કુમારને દેવીએ ત્યાં ઉતારી મૂક્યો ત્યારે, તે સદાચારી પુરુષ, માતાએ પૃથ્વી પર મૂકેલા બાળકની પેઠે ત્યાં આમ તેમ કરવા લાગ્યો. પહદ પછી દેવી તે ત્યાંથી અંતર્ધાન થઈ ગઈ અને શંખકુમાર પણ ત્યાંથી આગળ ચાલવા માંડ્યો તેવામાં સંપ્રદાયની પેઠે અત્યંત શુન્ય એવું કઈ એક નગર તેના જોવામાં આવ્યું. ૫૮° એ નગર વિધ્યાચલ પર્વતની પિઠે સુંદર હાઈને આસપાસ પડેલા મદમસ્ત હાથીઓથી વ્યાપ્ત હતું, વેશ્યાના વાસગ્રહમાં જેમ ભેગી પુરૂષો કાંચળીઓ છેડી રહ્યા હોય તેમ અનેક સર્પોએ તે નગરમાં કાંચળીઓ છોડેલી જોવામાં આવતી હતી, જેમ* કોઈ એક ધાર્મિક રાજાના રાજ્યમાં દારૂના પીઠાઓનું
* અહીં મૂળમાં શબ્દાલંકારની દૃષ્ટિએ તથા સંસ્કૃત વાક્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org