________________
પ્રસ્તાવ ૨.
નામ નિશાન ન હોય તેમ, એ નગરમાં દેવમંદિરનું નામ નિશાન ન હતું, જેમ નાસ્તિકાનાં શાસ્ત્રોમાં સ્વર્ગાદિ પરલોકની ગતિ કે સ્થિતિ જોવામાં આવતી નથી તેમ, એ નગરમાં બીજા કેઈ પણ લેકની આવજા કે વસતિ જોવામાં આવતી ન હતી. ૧૮૨ તેમાં કોઈ પણ સ્થળે ચિત્રો જોવામાં આવતાં ન હતાં, પણ યક્ષ તથા ચિત્રક વનસ્પતિ તે સ્થળે દેખાતી હતી, એને વિસ્તાર ઘણેજ મોટો હતો અને તેમાં ઉંચાં ઉંચાં ઘરની પંક્તિ અત્યંત શોભી રહી હતી. પ૮૩ એવા પ્રકારનું તે નગર જોઈને શંખકુમાર અંદર દાખલ થયો અને તેમાં આગળ જતાં સાત માળને એક રાજમહેલ તેણે જોયો, તે મહેલ સર્વાગે અત્યંત સુંદર હતો. પ૪ પછીતે મહેલના સાતમે માળે જઇને રાજકુમારે જોયું તે અશ્રુઓની અવિચ્છિન્ન ધારાઓથી જેનાં નેત્રો ઉભરાઈ રહ્યાં હતાં તેવી પેલી રાજકન્યા તેના જોવામાં આવી. ૫૬૫ તે સમયે કુમારની સાથે આવેલા પેલા યક્ષે એકાએક તેણુને કહ્યું કે, હે કલ્યાણિ! તારું હરણ કરનારાને નાશ કરવા માટે આ વીર પુરુષ અહીં આવ્યો છે, તેની સામે તું જે. પ૮૬ યક્ષનાં તે અપરિચિત વચન સાંભળીને રાજકન્યાએ જેવું ઉંચું જોયું એટલે તુરતજ તેનાં નેત્ર શરમદાં તથા હર્ષથી પ્રફુલ્લ થયાં. ૧૮૭ પછી કુમારનું અતુલ
સ્વરૂપ જોઈને રાજકન્યા મનમાં વિચાર કરવા લાગી કે, મારા વૃથા જન્મને ધિક્કાર છે ! કેમકે મારા જેવી એક કોડીની કિમતની
સ્ત્રી માટે આ કરોડોની કિંમતને પુરુષ ખરેખર કષ્ટમાં આવી પડશે. ૫૮૮ અરે ઓ દૈવ ! મારે જન્મ શા માટે થયો? કદાચ જન્મ થયે તો જન્મીને તુરતજ હું મરણ કેમ ન પામી ! કેમકે હું પોતે જ આવા પુરુષરત્નને નાશકર્તા થઈ પડીશ. પ૮૯ મનમાં આ વિચાર રચનાની દૃષ્ટિએ રમણીયતા છે, પણ અર્થાલંકાર તથા આશય સાથે જોતાં જોઈએ તેટલી સુંદરતા જણાતી નથી.
(૧૦૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org