SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૨. અલંકારોથી શોભતી હતી. પ૬૩ એ પ્રમાણે તે અદ્દભુત રૂપવાળી કન્યા, તે સ્વયંવર મંડપમાં આવી કે તુરતજ વરસાદની ઘારાઓ જેમ પર્વતની ભૂમિ પર પડે તેમ એકી સાથે સર્વ રાજાઓની દૃષ્ટિ તેના પર પડી. પ૬૪ પછી તે રાજકન્યા હાથમાં વરમાળ લઈને જેવી સ્વયંવર મંડપમાં ઉભી રહી તેવામાં અકસ્માત કેઈએ આવીને બાજપક્ષી જેમ ચકલીને લઈ જાય તેમ તેણીનું હરણ કર્યું. ૫૬૫ તે વેળા “જુઓ, જુઓ, આ કન્યા ગઈ” એમ સર્વ રાજાઓ અને અન્ય બતાવી રહ્યા હતા તેટલામાં તો આકાશમાં જેમ વિજળી અદશ્ય થઈ જાય તેમ એ રાજકન્યા એકાએક અદશ્ય થઈ ગઈ. ૫૬૬ રાજા અરિકેસરી પણ પુત્રીનાં હરણથી અત્યંત દુ:ખી થયો અને વ્યાકુળ થઈને સર્વ રાજાઓ આગળ આવું વચન કહેવા લાગ્યો કે, પ૬૭ હે રાજાઓ ! અને લોકે ! જે કોઈ મારી પુત્રીને લાવી આપે તેને હું મારું અધું રાજ્ય તથા તે પુત્રી અર્પણ કરવા તૈયાર છું. પ૬૮ તે સાંભળી રાજાઓ તે જાણે જકડાઈ ગયા હોય તેમ મનજ રહ્યા, એટલે શંખકુમારે ઘણાજ ઉત્સાહપૂર્વક કહ્યું, “તમારી પુત્રીને લાવી આપું.” પ૬૯ તે સાંભળી રાજાએ કહ્યું, “ હે પુત્ર! ખરેખર, તેં મને જીવિતદાન આપવાનું જ જાહેર કર્યું છે, માટે તું હવે સત્વર તૈયાર થા અને રામે જેમ સીતાને આણું હતી તેમ, મારી પુત્રીને તું લાવી આપ.” ૫૭૦ તે વેળા શંખે પ્રતિજ્ઞા કરી કે સાત દિવસની અંદર હું તમારી પુત્રીને જે ન લાવી આપું તે મારા પ્રાણની અગ્નિમાં આહુતિ આપીશ. પછ આવી પ્રતિજ્ઞા કરીને તે, સર્વ રાજાઓની સમક્ષ ત્યાંથી બહાર નીકળ્યો અને તે વેળા સત્ત્વશાળી ઘણું રાજાઓ તેની સામે આશ્ચર્યની સાથે જોઈ રહ્યા. પ૭૨ પછી તે શંખકુમારે કોઈ એક એકાંત પ્રદેશમાં જઈને પૂર્વે પિતાને વરદાન આપનારી દેવીનું સ્મરણ કર્યું એટલે તેજ સમયે ત્યાં આવીને ( ૯૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy