________________
પાત્રદાન વિષે શંખરાજ સ્થા.
ફરતી ધ્વજાઓદ્વારા સૂચવતું હતું કે તે ઈન્દ્રને આશ્રિત નથી; વળી તે, પિતાના પર ફરકતી પતાકાઓથી સ્વર્ગની જાણે તર્જના કરતા હોય તેમ લાગતું હતું. ૫૫૬ એ મંડપમાં હીરા તથા મણિએ રૂ૫ ચંદ્રને ઉદય જણાતો હતો, સોનેરી-રૂપેરી સતારાઓ રૂપ તારાઓ જણાતા હતા અને અગરની સુવાસથી તેમાં અતિ સુગંધી ફેલાઈ રહી હતી તેથી જાણે એક આકાશપ્રદેશ હોય તેવો એ શોભત હતો.૫૫ તે સ્થળે માચડાઓ ઉપર સાક્ષાત કામદેવ જેવી શોભાવાળા અનેક રાજપુત્રો તથા મેટા મેટા રાજા સિંહાસન ઉપર બેઠેલા જોવામાં આવતા હતા.૫૫૮ તેઓએ દિવ્ય વસ્ત્રો તથા અલંકારે ધારણ કર્યા હતા. તેમાં કોઈ પ્રકારનાં દૂષણ ન હતાં અને તેઓ રાજપુત્રીને જોવાની ઉત્કંઠાથી અત્યંત આતુર થઈ રહ્યા હતા.૫૫૯ તેવામાં પિતાના પિતાની આજ્ઞા થવાથી રાજકન્યા, હાથમાં વરમાળા લઈને સ્વયંવર મંડપમાં આવી પહોંચી. તેણુએ “વેત ચંદનનું વિલેપન તથા વેત વસ્ત્રો ધારણ કર્યા હતાં, મોતીની માળાઓ વડે તે અત્યંત શોભી રહી હતી, તેણું એક પાલખીમાં બેઠેલી હતી અને તેના સમાન વયવાળી તેની સખીઓ તેની સાથે જ હતી. પ૬૦-૫ ૬૧ તેને મધ્ય પ્રદેશ પૃથ્વીના મધ્ય પ્રદેશ જેવો (કટિમેખલાને લીધે) શોભતો હતો, તેના કેશ ઘણુજ સુંદર હતા, તેના શરીર પર સોનેરી-રૂપેરી સતારાઓ પ્રકાશી રહ્યા હતા, જેથી ચળક્તા તારાઓવાળી રાત્રિ સમાન તે જણુતી હતી, અને તેની કાંતિ ચંદ્રના જેવી શોભતી હતી. પર જેમ સમુદ્રના કિનારા પર ઉત્તમ શંખલાં પડ્યાં હોય, તેમ તેના મુખભાગ પર ઉત્તમ નાક શોભી રહ્યું હતું. જેમ એક ડાંગરને છોડ તેનાં ઉત્તમ ગુચ્છાથી શોભે તેમ, એ રાજકન્યા સુંદર મસ્તકથી શેભતી હતી અને કૈરની સેના, કર્ણ તથા ગાંગેય–ભીષ્મકુમારથી જેમ શોભતી હતી તેમ, એ કન્યા પણ કર્ણ-કાનમાં ગાંગેય–એટલે સુવર્ણના
( ૭ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org