________________
સિદ્ધસેનસૂરિના શિષ્ય કક્કરિએ આ પ્રબન્યમાં કર્યું છે. તેને સંક્ષિપ્ત અિતિહાસિક સાર આ પ્રમાણે છે.
પ્રથમ પ્રસ્તાવ અહિં પ્રબન્ધકાર પ્રથમ મંગલરૂપે આદિજિન, મહાવીરસ્વામી અને બીજા તીર્થકરોની સ્તુતિ કરે છે. ત્યાર પછી સ્વગુરુ, સરસ્વતી અને સજજન-દુર્જનની સ્તુતિ કરી ગ્રન્થને પ્રારંભ કરે છે. મસભૂમિમાં ઉપકેશપુર નામે નગર હતું. જ્યાં રત્નપ્રભાચાર્ય
મહાવીર નિર્વાણથી સત્તર વર્ષે વિરમંદિરની વેસટ
સ્થાપના કરી હતી. તે નગરમાં ઉપકેશ નામે
ઉન્નત વંશમાં થયેલો સટ નામે ધનાઢય શ્રેષ્ઠી રહેતો હતો. એક વખતે તેને કોઈ પણ કારણથી નગરના મુખ્ય માણસે સાથે વિરોધ થયે, તેથી તે શ્રેષ્ઠી ત્યાં રહેવું અયોગ્ય ધારી તે નગરનો ત્યાગ કરી કોરાટફૂપ નામે નગરમાં આવ્યું. ત્યાં પરમાર કુળનો જત્રસિંહ નામે રાજા રાજ્ય કરતો હતો. તેની પાસે તે શ્રેષ્ઠી ભેટશું લઈને ગયા. રાજાને પ્રણામ કરી તેની પાસે ભેટણું મૂક્યું. રાજાએ પણ વસ્ત્રાદિ વડે તે શ્રેણીનું સન્માન કરી આવવાનું કારણ પૂછ્યું. શ્રેણીએ ઉત્તર આપ્યો કે આપના ગુણોથી આકર્ષિત થઈ અહીં આવ્યો છું. રાજાએ તે શેઠને રહેવા માટે આવાસ આપે અને શેઠ કુટુંબ સહિત સુખપૂર્વક રહેવા લાગે. હમેશાં રાજા પાસે જવા આવવાથી પરિચય વધતાં બનેને ગાઢ પ્રીતિ થઈ. રાજાએ વેસટને તેના ગુણથી પ્રસન્ન થઈને નગરશેઠાણું આપી સર્વ વેપારીએમાં અણુ કર્યો. વેસટે જનસિંહને અહિંસા વિષે ઉપદેશ કર્યો. અને જૈવસિંહે વેસટના ઉપદેશથી પ્રાણુઓની હિંસાનો ત્યાગ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org