________________
પ્રાચીનતા ઐતિહાસિક દૃષ્ટિએ પણ સિદ્ધ છે. ત્યાર પછીના પ્રાચીન અને અર્વાચીન ઘણા ગ્રન્થામાં તેનાં નામ અને વર્ણન સંબન્ધે ઘણા ઉલ્લેખેા મળી આવે છે. આ તીર્થ અનેક કાળચક્રની સમ વિષમ પરિસ્થિતિમાં પસાર થતું હજી પણ યાગીની પેઠે ઉન્નત મસ્તકે પેાતાના પ્રભાવને વ્યક્ત કરતું ઉભું છે. આ પાવન તીર્થાંને અનેક મહાપુરૂષાએ આવી પેાતાના ચરણસ્પર્શીથી પવિત્ર કર્યું છે,અને તે તીથૅ અનેક પતિતાને પાવન કરી પેાતાની પવિત્રતા સાક કરી છે, અહિં અનેક જ્ઞાની, ધ્યાની અને તપસ્વીએએ આવી પેાતાના આત્મકલ્યાણુની સાધના કરી છે. અનેક સંઘપતિએ સંઘ સાથે આવી આતીના દર્શન અને ભક્તિથી કૃતાર્થ થયા છે.
પૂર્વે આ તીના અનેક ઉદ્ધારા થયા છે. જ્યારથી ગુજરાતમાં મુસલમાને એ પ્રવેશ કર્યાં અને તેની સત્તા નીચે ગૂજરાત આવ્યું ત્યારથી તેમના હાથે અનેક તીર્થાંના ધ્વંસ થયા છે. આ શત્રુજય તીર્થ પણ તેમના આક્રમણેાથી બચ્યું નથી. વિ.સ’.૧૩૬૯માં અલ્લાઉદ્દીન ખીલજીના સૈન્યે મુખ્ય મદિરના નાશ કર્યાં અને આદિજિનની પવિત્ર પ્રતિમાને ભંગ કર્યું. તેવા સમયમાં તેના ઉદ્ધાર કરવા કેટલા મુશ્કેલ હતેા તેની વાસ્તવિક કલ્પના પણ અત્યારે અ પણને આવી શકે નહિ, તે વખતે પાટણમાં દેશલશાહ અને તેને પુત્ર સમરસિંહ રહેતા હતા. તે ધનાઢય, બુદ્ધિમાન અને ઘણી જ લાગવગવાળા હતા. શત્રુંજય તીર્થના ભંગની હકીકત જાણી તેમને ઘણુંજ દુઃખ થયું અને ઊકેશગચ્છીય સિદ્ધસેનસૂરિના ઉપદેશથી દેશલશાહ અને સમરસિંહને તીના ઉદ્ધારની તીવ્ર ઈચ્છા થઈ. સમરસિંહ તેા પાટણના પ્રથમ સુખા અલપખાનને ખાસ પ્રીતિપાત્ર અને વિશ્વાસુ મિત્ર હતા, સમરસિંહે અલપખાનનું મન રંજિત કરી શત્રુ ંજયના ઉદ્દાર કરવાનું ફરમાન મેળવ્યું,અને તેણે આદિજિનનું મુખ્ય મંદિર તથા દેવકુલિકાઓ વગેરેને ઉદ્ધાર કર્યાં,તેમજ આદિજિનની પ્રતિમા નવીન કરાવી ઉપકેશગચ્છના સિદ્ધસેનસૂરિદ્વારા પ્રતિષ્ઠા કરાવી. એ બધી હકીકતનું સવિસ્તર વણુન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org