________________
પાત્રદાન વિશે શિખરાજ કથા.
સ્ત્રીઓ જેટલામાં તે કુમારના મનને કંઇક આકળ્યું કે તુરત જ દેશો જેવાની ઇચ્છાએ પણ કુમારના તરફ કટાક્ષ કર્યો-અર્થાત દેશો જોવાની ઇચ્છા તેને સ્લરી આવી.૪૬૫ પિતાની તે ઈચ્છા, મનોરમાને જણાવીને તે રાજકુમાર પિતાના મિત્રોની સાથે ત્યાંથી આગળ ચાલ્યો. કેમકે જાતજાતના અવાંતર પ્રસંગો ચાલુ પ્રસંગને બાધ કરી શકતા નથી. કે પછી તે રાજકુમાર અનુક્રમે ચાલતાં ચાલતાં પ્રિયભાષી જનસમુદાયથી વ્યાસ એવી મિથિલાનગરીમાં જઈ પહોંચ્ય; જે નગરી અગ્નિરૂપ મુખવાળા દેવોથી ભય પામી પૃથ્વી પર આવેલા સ્વર્ગ સમાન જણાતી હતી. ૪૬ એ નગરીમાં જેની આજ્ઞાને શત્રરાજાઓ પણ વશ થઈને પાળી રહ્યા હતા તેવો એક રાજા, સ્વર્ગ જેવી સમૃદ્ધિઓથી સમૃદ્ધિમાન રાજ્યનું પાલન કરતો હતો. ૪૬૮ તે રાજાને “સુંદરી’ નામની એક પટ્ટરાણી હતી, જે પતિવ્રતા હતી અને જેણના શીલના પ્રતાપથી જ ચંદ્રમા કંઈક શ્યામ થઈ ગયો છે. ૪૬૯ તે રાણીના ઉદરરૂપી નાની તળાવડીમાં જેમ એક હંસલી ઉત્પન્ન થાય તેમ, રતિસુંદરી નામની એક પુત્રી જન્મી હતી, જેણની રૂપસંપત્તિ જેવાને માટે ઇન્દ્રને એક હજાર ને કરવાં પડયાં. ૪૭૦ એ રાજપુત્રી, વિદ્યામાં સરસ્વતી સમાન હતી, રૂપમાં કામદેવની સ્ત્રી સમાન હતી અને સૌભાગ્યમાં લક્ષ્મી સમાન હતી. તેણી અનુક્રમે યુવાવસ્થાને પ્રાપ્ત થઈ; 9? પણ કઈક કારણને લીધે તે રાજપુત્રી પુરુષોનો દેષ કરનાર થઈ અને તેજ કારણથી તે પિતાના પાણિગ્રહણના નામને પણ સહન કરી શક્તી નહિ. ૪૭૨ તે સમયે રાજા (તેણુને પિતા) આવી ચિંતા કરવા લાગ્યો કે, પિતાને ઘેર રહેલી આ પુત્રી ખરેખર અપકીર્તિને માટેજ થઈ પડશે, કેમકે તે વિવાહને ઇચ્છતી નથી; તે હવે આ સંસારમાં મારે શું કરવું, કોને આશ્રય કરવો? અથવા હું કયાં જાઉં ? આવા પ્રકારની ચિંતારૂપી
( ૮૭ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org