________________
પ્રસ્તાવ ૨.
સાંભળી રાજા મેલ્યાઃ “ હે બુદ્ધિના ભંડાર કુમાર ! જે વિષયમાં પ્રત્યક્ષથી જ વસ્તુસ્થિતિનું ભાન થાય તેમાં કયા પુરુષ અનુમાનપ્રમાણુ જોવા બેસે ? તમારૂં કુળ વગેરે, ગુણાના આધાર અને સ્થાનરૂપ આ તમારા દેહથી જ જાણવામાં આવી ગયેલ છે, માટે તમે લેશમાત્ર મારૂં અપમાન કરશે! મા.૪૧૪-૪૧૫ તે પછી શ’ખકુમાર મૌન રહ્યો; એટલે પેાતાના વચનને તેણે સ્વીકારી લીધેલું જાણી રાજાએ, શુભ દિવસે મેટા ઉત્સવપૂર્વક તેની સાથે પેાતાની પુત્રીનાં લગ્ન કર્યા. ૪ ૧૬ પછી શખકુમાર કેટલાએક દિવસ ત્યાં રહ્યા અને તેણે કામદેવના ગર્વથી પેાતાની ચ્છાનુસાર વિષયસુખ ભોગવ્યું,૪૧૭ અને પછી ક્રી પણ દેશ જોવાને ઉત્કંઠિત બની પેાતાની સ્ત્રીની સંમતિ લઈ પેલા બે મિત્રા સાથે તે આગળ ચાલ્યેા. અથવા વજ્ર ( સૂર્ય ) કાઇ સ્થળે શું સ્થિર રહી શકે ૪૧૮ પછી તેણે કાઈએક વનમાં આગળ ચાલવા માંડ્યું, અને સાય કાળના જ્યારે સમય થયા ત્યારે પરિશ્રમને દૂર કરવા માટે મિત્રે કરી આપેલી પાંદડાંની શય્યા પર સ્વસ્થ ચિત્તે વિશ્રાંતિ કરી.૪૧૯ બરાબર મધ્યરાત્રિના સમય થયા, ત્યારે સમીપના પ્રદેશમાં પ્રજ્વલિત જ્વાળાઓવાળા અગ્નિને જોઈ તે તેણે એ અગ્નિની મૂળ ઉત્પત્તિ નવા માટે યક્ષને આજ્ઞા કરી.૪૨૦ યક્ષ પણ સત્વર ત્યાં ગયા અને તેના સબંધમાં જાણી લઈ ત્યાં આવીને કુમારને જણાવ્યું કે, હે દેવ ! કાઇએક મહાન્ સિદ્ધ વિદ્યાને સાધી રહ્યો છે; પણ જેમ કાષ્ઠ નિર્ભાગ્ય મનુષ્યને ચિત્રક વનસ્પતિને વેલા જોવામાં ન આવે તેમ, અત્યંત પ્રયાસ કરવા છતાં પણ એ સિદ્ધને વિદ્યાની અધિષ્ઠાત્રી–દેવીનાં દર્શીન થતાં નથી. ૪૨૧-૪૨૨ હું માનું છું કે, તે પોતે જે કે અશક્ત છે તાપણુ આપની સહાયથી પેાતાની વિદ્યાને સાધી શકશે. જેમકે સારથિ અરુણ સાથળ વિનાના છે .તાપણુ સૂર્યના સ્વીકાર કરી—આશ્રય
( ૧૨ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org