SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પાત્રદાન વિષે શંખરાજ કથા. કરી આકાશમાં ગતિ કરે જ છે.૪૨૩ તે પછી બહુ સારું, હું મારા શરીરને નાશ કરીને પણ તેને સહાય કરીશ, એમ રાજકુમારે કહ્યું, અથવા સત્ય છે કે, પુરુષોને જન્મ પરાર્થે જ હોય છે. ૨૪ કુમાર પણ ઉતાવળે ઉતાવળો પેલા યોગી પાસે ગયો અને તેને કહ્યું કે, હું તારી સહાયમાં છું, માટે નિર્ભય થઈને તું તારી વિદ્યાસિદ્ધિ સમાપ્ત કર. ૪૨૫ એમ કહીને તે શંખકુમાર હાથમાં તરવાર લઈ ચગીની પાસે ઉભો રહ્યો એટલે મેગીએ ચિત્તની એકાગ્રતા કરી મહાવિદ્યાનું ધ્યાન કરવા માંડયું.૪૨૬ એક ક્ષણ જેટલો સમય ગયો કે તુરત જ જાણે બીજે કાળ હોય તેવો કોઈ દુર્જય રાક્ષસ હાથમાં તરવાર લઈ કુમાર આગળ પ્રકટ થયો.૨૭ તેણે ભ્રમર ચઢાવી ભયંકર સ્વરૂપે શંખને તિરસ્કાર કરી કહ્યું કે, અલ્યા એ મૂર્ખ ! શું વિચારીને તું અહીં આવ્યા છે? આ યોગીને મારી નાંખીશ, તું સત્વરે અહીંથી ચાલ્યો જા. અલ્યા એ ગધેડા ! વ્યર્થ છેબીને ઘેર તું કાં મરે છે ? ૪૨૮–૪ ૨૦ પિલે રાંખકુમાર ૫ણ સાહસી હતો. તેણે એ રાક્ષસને ઉત્તર આપ્યો કે, સત્યનો રક્ષક હું અહીં ઉ છું, તેથી ઈન્દ્ર પોતે પણ પરાભવ કરવાને સમર્થ નથી, તે પછી તું કોણ માત્ર ? ૪૩૦ તે સાંભળી રાક્ષસ અત્યંત ક્રોધાયમાન થ, અને દેવેન્દ્ર સામે જેમ દાનવ ધસી જાય તેમ તરવાર ઉગામીને કુમાર સામે ધસી ગયો,૪૩૧ શંખકુમારે પણ સિંહની પેઠે નિર્ભય થઈ હર્ષથી તરવાર ઘુમાવા માંડી, અને હાથી જેવા તે રાક્ષસને મારવા માટે તૈયાર થયો.૪૩૨ પેલો રાક્ષસ ઉગ્ર મંડળાકારે તરવાર ઘુમાવી રહ્યો હતો. તેવામાં શંખકુમારે પોતાની તરવારનો પ્રહાર કરી તેની તરવારના બે ટુકડા કરી નાખ્યા.૩૩ એટલે તુરત જ રાક્ષસે તરવાર ફેંકી દીધી અને શંખકુમારને પોતાની બાથમાં લીધે શખકુમારે પણ તરવાર મૂકી દઈ રાક્ષસને બાથમાં ઘાલી (૮૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy