________________
પ્રસ્તાવન ૨
કોઇનું સ્વામિત્વ હેઈ શકે જ નહિ. ૩૭૪ માટે વૃથા અમને અટકાવીને તું તારી પિતાની શામાટે હલકાઈ કરે છે? ખરેખર તું તે પારકા ઘરમાં કોઈને પૂછ્યા વિના ઘુસી જઈને મંત્રી થઈ બેઠેલા કઈ મૂના જે દેખાય છે !” (પાડોશી મટીને ઘરધણી થઈ બેઠેલ જણાય છે !) ૩૭૫ કુમારે એ પ્રમાણે કહ્યું ત્યારે પેલે યક્ષ પણ પ્રત્યક્ષ થઈને કઠોર અક્ષરે બા –“રે! રે! એ મૂર્ખ ! તું નથી જાણતો કે હું આ વડને સ્વામી છું. માટે તું જાણું કે, આ સમયેજ હું તને યમરાજાને અતિથિ બનાવું છું. (તું પિતાને અપરાધ કબૂલ કરતો નથી પણ ઉલટ) મારી સામે ઉત્તર આપે છે; માટે ચાલ, તું તારા ઇષ્ટ દેવનું સ્મરણ કરી લે.” ૩૭૬-૭૭૭ યક્ષનું એ વચન સાંભળી કુમાર ખડખડાટ હસી પડ્યું. તેણે કહ્યું કે, તે પિતાની દેવજાતિથીજ શું ગર્વ કરે છે? અરે ! તું નથી જાણતો કે, દેવતાઓ પણ પુરુષોનું દાસત્વ કરે છે. ૩૭૮ વળી ક્ષત્રિયોને ઇષ્ટ દેવ તે તેઓની તરવારજ હોય છે અને તે, સદાકાળ મારા હાથમાં જ રહે છે; માટે ચાલ, મારી સામે આવ. ૪૭૯ કુમારની એ નિર્ભય વાણીથી યક્ષે તેનું અતુલ સાહસ જાણી લીધું, પછી તેના પર વૃદ્ધિ પામેલા પ્રેમને લીધે દંતપંક્તિની ઝળહળી રહેલી કાંતિવાળા (અર્થાત હર્ષનું અટ્ટહાસ્ય કરી) યક્ષ બોલ્યો કે, હે સ્વામી! તમે તમારા સાહસને લીધે મને વશ કર્યો છે. હું તમારા દર્શનથી પ્રસન્ન થયો છું અને તમારા સેવકભાવને પ્રાપ્ત થયો છું, માટે (મારી એ પ્રાર્થના છે કે, હું સદાકાળ તમારે અનુચર થાઉં– સેવક ભાવે સાથે જ રહું. ૩૮૦-૭૮૧ તે વેળા રાજપુત્રે પણ પૂર્વજન્મમાં જાણે પિતાના પરિચયવાળા હોય તેમ એ દેવ પર પ્રીતી કરી તેને પ્રસન્ન કર્યો. કેમકે સજ્જનેનું હૃદય સદા કેમળ હોય છેદયાળુ હોય છે. ૩૮૨ એક ક્ષણવાર તે વૃક્ષ નીચે વિશ્રાંતિ લીધા
( ૭૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org