SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૨. આશ્રય કર્યો. ૩૫૪ તેવામાં કોઈ એક ગૃહસ્થ એ ગામની બહાર નીકળી આવ્યો. તેણે વસંતની સાથે રહેલા સાક્ષાત કામદેવ સમાન એ કુમારને જે. ૩૫૫ તે ગૃહસ્થ પણ ઉદાર બુદ્ધિને હતા. તેણે કુમારને પ્રણામ કરી બે હાથ જોડી કહ્યું—“ મારે ઘેર પધારીને આપ મારા ઘરને પાવન કરે.” ૩પ૬ તેના આગ્રહથી અને પિતાની જમણી આંખના ફરકવાથી કુમારનું મન પણ તેને ઘેર જવા આકર્ષાયું, એટલે પિતાના મિત્ર સાથે ઉઠીને તેની સાથે તેને ઘેર જવા તે ચાલ્યો. ૩૫૭ પછી એ ગૃહસ્થ પિતાને ઘેર જઈ તેઓ બન્નેને સ્નાન-ભોજન આદિથી સત્કાર કર્યો અને પછી પિતાની “ શ્રીમતી” નામની પુત્રીને કુમાર પાસે લાવીને બે હાથ જોડી તેણે કુમારને વિનતિ કરી, કે “ હે સ્વામિ ! મારા જીવનતુલ્ય આ મારી પુત્રીનું પરિગ્રહણ કરી આપ તેને કૃતાર્થ કરે.” ૩૫૮-૩૫૯ તે પછી રાજકુમારની કેટલીક ભ્રકૂટીની ચેષ્ટાઓથી ચેતી જઈને તેનો મિત્ર છે -“અરે ભાઈ ! જેનું કુળ તથા શીલ તને જાણવામાં નથી તેવા આ પુરૂષને તું તારી પુત્રી કેમ આપે છે ? કેમકે પૃથ્વી પર ઘણું ધૂર્ત લેકે ગુપ્ત રીતે ફર્યા કરે છે. માટે કાગડાને જેમ કેયેલ ન અપાય તેમ, તું આને પિતાની પુત્રી ન આપ.” ત્યારે તે ગૃહસ્થે કહ્યું –“ભલા માણસ! તમે આવા સુજ્ઞ થઈને અજ્ઞાનીની પેઠે કેમ બોલે છે ? સદ્દગુણવાળું માણેક પ્રાપ્ત કરીને કયો માણસ તેનું કુળ જેવા બેસે? ૩૬૦-૩૬૨ કાએક ઉત્તમ વસ્તુ જેવી જોવામાં આવે કે તરત જ તેના ગુણે પિતાની મેળે (જેનારના) જાણવામાં આવે છે. જેમકે ઊંચી જાતનું કપૂર, તેની પરીક્ષા કરવાથી સુગંધી કેમ બને ? (અર્થાત્ તેવા પૂરની તે સ્વાભાવિક રીતે જ સુગંધી હોય છે–પરીક્ષા કરવાની જરૂર રહેતી નથી.) ૩૬૩ માટે હે દાતા પુરુષ ! મારી આ પ્રાર્થનાને આપે અવશ્ય સ્વીકારવી જોઈએ; કેમકે, કોઈની પ્રાર્થનાનો સ્વીકાર કરે તે પુરુષોનું પ્રથમ વ્રત છે.” ૩૬૪ પછી કુમારે પણ કંઈ ( ૭૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy