________________
પાત્રદાન વિષે શેખરાજ કથા.
છે. ૪૪ આ લોક સાંભળી રાજકુમાર મનમાં પ્રસન્ન થયો તેણે વિચાર કર્યો કે, ખરેખર હું કુવામાંહેને દેડકે છું. માટે પૃથ્વીને જેવાને હું પ્રયત્ન કરું ૩૪૫ મનમાં આવો નિશ્ચય કરી કાઈને પણ જણાવ્યા વિના પિતે એકલે હાથમાં તરવાર લઈ નગરમાંથી નીકળી ગયો.૨૪૬ એ વેળા તેને માતાનું, પિતાનું, ભાઈનું, સ્ત્રીઓનું, મિત્રોનું સ્મરણ થતું ન હતું; માત્ર એક પૃથ્વીદર્શન કરવાનું જ તેને
સ્મરણ થયા કરતું હતું.૩૪૭ તે જ્યારે નગરમાંથી ચાલ્યો ત્યારે પાછળથી નગરની પડોશમાં જ કોઇએક પરાક્રમી ક્ષત્રિય મળ્યો, જે કોઈ રાજાની સેવા કરવા માટે પરદેશમાં જતો હતો ૩૪૯ તેણે પ્રણામ કરી બે હાથ જોડીને રાજકુમારને કહ્યું-“સેવા કરવા માટે જ બીજે સ્થળે જઈ રહ્યો છું, તો તમારે જ મારા ઉત્તમ સ્વામી માનીને આશ્રય કરું છું.” ૩૪૯ રાજકુમાર તો ઉદારબુદ્ધિવાળો હતો અને મહાસત્ત્વશાળ પુરુષોમાં એક હતું જેથી તુરત જ પોતાના મિત્ર તરીકે તેનો આશ્રય કર્યો. કેમકે મહાન પુરુષે શરણે આવેલા ઉપર પ્રેમ રાખનારા હોય છે. ૩૫૦ અહેકેવું આશ્ચર્ય !! રાજ્યનો ત્યાગ કરી કુમાર એક નગરની બહાર નીકળે, પણ તુરત જ તેને સંધાત મળી ગયા, ખરું છે કે મોટા પુરૂષનું ભાગ્ય સતત જાગતું જ રહે છે.૩૫૧ જેમ દૂધ અને પાણી એકદમ મળી જાય છે તેમ, એ કુમાર અને પેલે ક્ષત્રિય પણ તત્કાળ મળી ગયા અને એક ચિત્ત બની રહ્યા. કેમકે, “ અન્યનું શુદ્ધ ચિત્ત તેજ પ્રેમનું કારણ છે.” ૩૫૨ જેમ સ્વર્ગમાંથી બે દેવ ઉતરી આવ્યા હોય તેમ, તેઓ બન્ને જણું, માર્ગમાં અન્યોન્યને મોટી મોટી કથાઓ કહેતા પૃથ્વીને જેવાના. કાતુકથી ચાલ્યા. ૩પ૩ બરાબર સવા પહોર જેટલા દિવસ ચઢથો એટલે તેઓ એક ગામ પાસે આવી પહોંચ્યા; અને ત્યાં વિશ્રાંતિ લેવા માટે પિતાના મિત્ર સાથે રાજકુમારે એક ઝાડની છાયાનો
( ૭૫ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org