________________
પ્રસ્તાવ ૨.
રાજાએ કુમારને સ્વર્ગની દેવાંગનાઓને પણ રૂપમાં પરાજય કરે તેવી લક્ષ્મીવતી’ વગેરે અનેક રાજકન્યાઓ પરણાવી. ૩૩૮ એટલે તે શંખકુમાર પાંચ વિષયોનું સુખેથી સેવન કરવા લાગ્યો. કેમકે વિવેકી મનુષ્ય પણું જે સમયોચિત આચરણ કરે તે દોષપાત્ર ગણુતો નથી.૩૩૯ અને તેથી જ વર્ષ જેમ વર્ષાઋતુ, શિશિરઋતુ તથા ગ્રીષ્મઋતુનું અનુક્રમે સેવન કરે છે તેમ, એ રાજકુમાર ધર્મ, અર્થ તથા કામ-એ ત્રણે પુરુષાર્થોનું અનુક્રમે સેવન કરવા લાગ્યો. ૩૪૦ લેકમાં કહેવત છે કે “ધર્મ ધનને ઉત્પાદક છે, પણ એ કહેવત ખોટી જણાય છે, કેમકે એ શંખકુમારનું ધન જ દાન, દેવપૂજન આદિદ્વારા ધર્મનું ઉત્પાદક થઈ પડયું હતું. વળી તે સર્વ સ્થળે સંચાર કરતો હતો, છતાં તેણે પોતાની મર્યાદા ત્યજી ન હતી; અને આશ્ચર્ય તો એજ હતું કે, તે પોતાના સુખાસન * ઉપર સ્થિતિ કરીને પણ આનંદથી નગરમાં ફરતા હતા.૩૪૨ તે કુમાર એક દિવસે રાત્રિના સમયે વરચર્યા કરવા એ નિકળ્યો, તેવામાં કાઈથી ભણવામાં આવતે આ લેક તેણે સાંભળ્યો-૩૪૩. “થો જ નિત્ય નિઃશેષાં વિવાતિ મહિના अनेकाश्चर्यसंपूर्णी स नरः कूपदर्दुरः"॥ ३४४॥
“જે પુરુષ પોતાના વતનમાંથી બહાર નીકળી જઈને અનેક આશ્ચર્યોથી ભરપૂર આ પૃથ્વીને જે નથી તે કુવામાંહેને દેડકે
* અહીં વિરોધાભાસ અલંકાર છે. સુખાસન એટલે પિતાને બેસવાનું સુખ જનક આસન, આ આસન ઉપર બેઠે હતો છતાં નગરમાં કેમ ફરી શ ? આ વિરોધ જણાય છે, તેનો પરિહાર આ પ્રમાણે થાય છે સુખાસન એટલે પાલખી, તે પિતાની પાલખીમાં બેસીને નગરમાં ફરવા નીકળતો હતે.
(૭૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org