________________
પાત્રદાન વિષે શંખરાજ કથા.
૩૨૭ તેને કંઠ હંસના જે ઉજજવળ હાઈને ત્રણ રેખાઓને ધારણ કરતો હતો અને તે શંખકુમાર ખરેખર શંખના જેવો જ પૃથ્વી પર વિસ્તાર પામતા મને હર શબ્દવાળા થયો.૨૮ અનુક્રમે તે બુદ્ધિમાન શંખે, પોતે પહેરેલી પુષ્પની માળાની પેઠે બાલ્યાવસ્થાને ત્યાગ કર્યો, અથવા ખરૂં છે કે, તેવા કળાસંપન્ન પુરુષોમાં બાળભાવ કયાં રહી શકે? ૩૨૯ જેમ સ્વભાવિક રીતે જ સુંદરતાવાળા સુવર્ણને જે ઉજાળ્યું હોય તે તે જેમ વિશેષ કાંતિમાન થઈ પડે તેમ, તે શંખકુમારનું શરીર યૌવનથી ઉન્નત બનીને અત્યંત મનોહર થઈ પડયું.૩૩૦ એ રાજપુત્ર, પ્રતિદિન મહાન ઉદયને પામવા લાગ્યો અને મિત્રમંડળના મધ્યમાં નિરંતર ઘૂમવા લાગે છતાં પણ આશ્ચર્ય એ હતું કે, તેની ગતિ કદી વક્ર થઈ નહિ–હંમેશાં તે સરળ સ્વભાવને -સૌમ્ય જ રહ્યો.૩૩ ૧ એટલું જ નહિ પણ સમુદ્રના જેવો તે ગંભીર બન્યો, મેરુના જેવો સ્થિર થયો, દૂધના જે સ્વચ્છ યશવાળો થયે, કોકિલની પેઠે પ્રિયભાષી થયો, કલ્પવૃક્ષ જે દાતા બન્યો અને સૂર્ય જેવો પ્રતાપી થયો. આ રીતે સમગ્ર ગુણો હોવાને લીધે તે સમયે એ કુમાર જ વર્ણન કરવા યોગ્ય હતા, બીજો કઈ ન હતો. ૩૩૨-૩૩૩ તે કોઈ દિવસે હાથી ઉપર બેસીને તથા કેટલાએક હાથીઓ, ઘોડા તથા પાળાઓને સાથે લઇને ઇન્દ્રની પેઠે રાજવાડી ( રાજસ્વારી ) કરતો હતો.૩૩૪ કઈ દિવસે પોતે હાથીઓનાં તથા ઘોડાઓનાં શિક્ષણને જાણ એવો તે શંખ ભકિક સ્વભાવના શિષ્યોની પેઠે તેઓને શિક્ષણ આપતો હતો૩૫ કઈ દિવસે શિષ્ટોની મર્યાદા પ્રમાણે વિધાનની સભાઓમાં બેસી અન્ય સંશય કરતા વિદ્વાનને શ્રેષ્ઠ તત્ત્વ સમજાવતા હતા.૩૪૬ કઈ વખતે બાગબગીચાઓમાં જઈને, ઉત્તમ ગાયને ગાઈને અથવા નાટક વગેરે જેઈને સ્વર્ગમાં જેમ દેવ સમય ગાળે તેમ સુખેથી કાળ નિર્ગમન કરી રહ્યો હતો. ૩૩૭ પછી
( ૭૩ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org