________________
પાત્રદાન વિષે શંખરાજ કથા.
સુગંધવાળાં પુષ્પોના ઢગલા જોવામાં આવતા હતા, અન્યોન્ય પાનબીડાં અપાઈ રહ્યાં હતાં, મેટા મોટા હર્ષનાદ ચોતરફ સંભળાઈ રહ્યા હતા, પ્રત્યેક મનુષ્યનાં રોમાંચ વિકસ્વર થઈ રહ્યાં હતાં, સ્ત્રીઓનાં રાસમંડળ વચ્ચે અંતઃપુરના રક્ષક નાજર ઉભેલા જોવામાં આવતા હતા, કંકુથી રંગાઈ ગયેલી પૃથ્વી ઉપર નૃત્ય કરતી વારાંગનાઓના હારામાંથી મોતીઓ તૂટી પડતાં હતાં, તેઓને દેખાવે પૃથ્વી પર કરેલા સાથીઆ જે જાણતો હતો અને ઉત્તમ શણગાર તથા અલંકારેને સજી રહેલાં સ્ત્રીઓનાં ટોળેટોળાં જોવામાં આવતાં હતાં. ૩૦૮-૩૧૧ પછી દશ દિવસનું વૃદ્ધિસૂતક ઉતર્યું અને પિતાનો કુલાચાર પણ બરાબર કરવામાં આવ્યો એટલે સુવાસિની સ્ત્રીઓએ રાજાનું તથા તેના પુત્રનું મંગળ કર્યું. ૩૧૨ પિતાના ગોત્રીઓ, મિત્ર તથા સ્વજનોને નોતરીને રાજાએ ભક્તિપૂર્વક અને પોતાની સાથેજ ભાતભાતનાં ભોજન જમાડ્યાં. ૩૧૩ અને જમાડ્યા પછી પાનબીડાં તથા વસ્ત્રાદિકથી તેઓને સત્કાર કરી, બે હાથ જોડી રાજાએ અમૃત જેવી મધુરવાણથી પિતાનાં સ્વજનો પ્રત્યે કહ્યું કે, આ પુત્ર જ્યારે ગર્ભમાં આવ્યો, ત્યારે સ્વમમાં એની માતાએ વિષ્ણુના હાથમાંથી શંખ મેળવ્યો હતો, માટે આપ સર્વેની જે સંમતિ હોય તો તેનું “ શંખ ” એવું નામ રાખીએ; ૩૧૪-૩૧૫ “બહુ સારું, એ ઠીક છે” એમ સર્વ સ્વજનોએ કહ્યું ત્યારે મનમાં પ્રસન્ન થયેલી રાજાની બહેને બાળકના મસ્તક પર અક્ષત નાંખીને તેનું નામ પાડયું. ૩૧૪ તે પછી કામાભિલાષ જેમ વિષયેચ્છાઓથી વૃદ્ધિ પામે તેમ, એ પુત્ર પાંચ ધાવમાતાઓના પિષણ તળે રહી પોષાવા લાગ્યો અને શરીરે વધવા લાગ્યો. ૩૧૭ જેમ મેરુ પર્વત કલ્પવૃક્ષનું લાલન પાલન કરે તેમ, રાજ પણ પિતાના પુત્રને ખેાળામાં બેસાડી, પ્રીતિરસનું સિંચન કરી આનંદપૂર્વક તેનું પાલન કરવા
(૭૧ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org