SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૨. સ્થિતિ કરી રહ્યા ત્યારે ઇન્દ્રાણુ જેમ જયન્તને જન્મ આપે તેમ પિતાની કાંતિથી દિશાઓને પ્રકાશમાન કરી રહેલા મહાપુણ્યશાળી પુત્રને રાણીએ સુખેથી જન્મ આપે. ૨૮–૨૯૯ તે સમયે ગાલે ફલાવીને નાજાએ તથા દાસીઓએ રાજા પાસે જઈ સ્પષ્ટ રીતે વધામણી આપી અને તેને પ્રસન્ન કર્યો. ૩૦° રાજાએ પણ પોતાને વધામણી આપનારાઓને અનેક પ્રકારનાં ઈનામ આપ્યાં. કેમકે જગતમાં પ્રાણ અને ધન કરતાં પણ પુત્ર આધક હોય છે. ૩૦એ વેળા તે પુત્રને જન્મ સાંભળી શત્રુઓ પણ હર્ષ પામ્યા. કેમકે તેઓએ માન્યું કે, આ જ્યારે મોટે થશે ત્યારે અમારી યુદ્ધશ્રદ્ધાને પૂર્ણ કરશે. ૩૦૨ શાસ્ત્ર કહે છે કે “કૃતઘી પ્રાણીઓનું આયુષ છે. વળી “મુહમધુમતઃ” અર્થાત ગોળની મીઠાશ સર્વોત્તમ છે. આવા હેતુથી રાજાએ પુત્ર જન્મના સમયે પુત્રના આયુષની વૃદ્ધિ માટે લેકેને ગાળથી આપ્યાં, ૩૦૩ વળી તે સમયે પાઠશાળાઓના અધ્યાપકે, માટીના મણકાઓથી મૂળાક્ષરોને અભ્યાસ કરતા બાળકના સમુદાયની સાથે રાજા પાસે આવીને રાજાની ગુણપ્રશંસા કરવા લાગ્યા; ૩૦૪ અને રાજા પણ ભેટયું લઈ લઇને આવેલા બીજા રાજાઓને તથા સમગ્ર નગરવાસી લોકોને ખુશાલીનાં દાન આપી સન્માન આપવા લાગે. ૩૫ વળી તેણે કેદખાનામાંથી કેદીઓને છોડી મૂક્યા તેમજ ભાટ ચારણોને પણ પુષ્કળ દ્રવ્યની ભેટ કરી તેના પર કૃપા કરી. ૩૬ શહેરમાં પણ દરેક દુકાને તથા દરેક ઘેર માણસો ઉભરાઈ રહ્યાં હતાં અને ધ્વજાઓ ફરકી રહી હતી, તેથી એ નગર રાજાના પુત્રજન્મ સમયે હર્ષથી જાણે નૃત્ય કરતું હોય તેમ લાગતું હતું. ૩૦ એ પ્રમાણે પિતાને ત્યાં પુત્રજન્મ થયો તેથી રાજાએ દશ દિવસ સુધી એવા પ્રકારનો ઉત્સવ કર્યો કે જેમાં ઠેરઠેર કપૂરનું ચૂર્ણ વ્યાપ્ત થયેલું જોવામાં આવતું હતું, અતિ ( ૭૦ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy