________________
પ્રસ્તાવ ૨.
સ્થાશ્રમીઓને ધર્મ બાર પ્રકારને થાય છે. તે ધર્મના દાન, શીલ, તપ તથા ભાવ-આ ચાર ભેદે પણ છે. તે દ્વારા એ ગૃહDધર્મનું વિશેષે કરી આરાધન કરવું જોઈએ. ૨૭૮-૨૮૦ આ ધર્મનું મૂળ કારણ દાન કહેવાય છે. એ દાન ઉત્તમ પ્રકારનું હાઈને નિરંતર સુપાત્રને જ આપવું જોઈએ, કેમકે સુપાત્રે દાન કરવાથી શંખરાજાની પિઠે આ લેકની તથા પરાકની લક્ષ્મી મેળવી શકાય છે. ૨૮૧
પાત્રદાન વિષે શંખરાજ કથા. જેમકે –
આ જંબુદ્વીપની દક્ષિણ દિશાના તિલક સમાન અને ધર્મ તથા ધાન્યના ઉત્પત્તિક્ષેત્રરૂપ ભરત નામના ક્ષેત્રમાં બરાબર મધ્યપ્રદેશમાં આવેલું રત્નપુર નામનું એક શ્રેષ્ઠ નગર છે, જે નગરને જોઇને દેવો સ્વર્ગલોકથી પણ નિઃસ્પૃહ બની ગયા છે. ૨૮૨–૨૮૩ એ નગરનું, પોતાના પ્રતાપરૂપ અગ્નિથી શત્રુપક્ષને બાળી નાંખનારે અને રાજાએની પંક્તિથી સેવવા યોગ્ય નરોત્તમ નામનો રાજા રક્ષણ કરતો હતે. ૨૮૪ ખરેખર આ ચંદ્રમા, તે રાજાના મુખથી પરાજય પામી જાણે શરમાયો હોય તેમ આકાશમાં ચાલ્યો ગયો. એ રાજાને ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી અને શ્રેષ્ઠ કળાઓવાળી વસુંધરા નામની પટ્ટરાણી હતી. ૨૮૫ એ બન્ને રાજા રાણીનાં મન અન્યોન્ય ઉપરના રાગથી વૃદ્ધિ પામેલા પ્રેમમાં મગ્ન થઈ રહ્યાં હતાં, અને તેઓની પાસે કદી નાશ ન પામે તેટલી અઢળક લમી હતી, જેથી તેઓનો કેટલેક કાળ એ પ્રમાણે (સુખમાં) ચાલ્યો ગયો. ૨૮૬ એક દિવસે વનમાં સળગી ઉઠેલા દાવાનળના ધૂમાડા સમાન ઘોર અંધકારથી વ્યાપ્ત મધ્યરાત્રિના સમયે (પિતાના શયનમાં ) સૂતેલી રાણું વસુંધરાએ એક સ્વમ જેયું. ર૮૭ તેમાં તેને એવું જોવામાં આવ્યું કે, વિષ્ણુએ પિતાનો શંખ પિતાના હાથમાંથી તે રાણીના હાથમાં
(૬૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org