SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૨. ગુરુએ કહેલા એ ધર્મને બોધ પામી, તેને સ્વીકાર કરી બોલી કે, હું આપની સેવા કરવા તત્પર છું. રેગ્ય સમયે આપે મારું સ્મરણ કરવું અને દેવતાવસર સમયે મને ધર્મલાભ આપવો ૨૧૧–૧૧૨ વળી કંકુ, નૈવેદ્ય તથા પુષ્પ વગેરેથી ઉદ્યમી એવા શ્રાવકે દ્વારા તમારે મારી સાધર્મિકની પેઠે પૂજા કરાવવી. ૨૧૩ તે સમયે દીર્ધદષ્ટિવાળા શ્રી રત્નપ્રભસૂરિએ વિચાર કરીને દેવીના તે વાક્યને સ્વીકાર કર્યો. કેમકે પુરુષો હમેશાં ગુણગ્રાહી હોય છે. ૨૧૪ એ રીતે એ દેવી, પિતાની પ્રતિજ્ઞાને સત્ય કરી પાપનો નાશ કરનારી થઈ તેથી તેનું “સત્યકા” એવું નામ જગતમાં પ્રસિદ્ધ થયું. ૧૧૫ પ્રભુ શ્રીરત્નપ્રભસૂરિએ પણ એ રીતે સર્વત્ર વિહાર કરીને સવા લાખથી વધારે શ્રાવકોને બોધ આપ્યો હતો. ૨૧૬ પછી તે આચાર્યમહારાજ, શ્રી મહાવીરના નિર્વાણથી પંચાશીમે વર્ષે પોતાના ગુરુ પાસેથી આચાર્ય પદ પ્રાપ્ત કરીને તે પછી અઢાર વર્ષે ઉકેશ તથા કરંટક નગરમાં શ્રી મહાવીર સ્વામીની બે પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરીને, ચામુંડા દેવીને પ્રતિબોધીને, સવા લાખથી કંઈક વધારે શ્રાવકાને બોધ આપી, શાસ્ત્રોકત રીતિ પ્રમાણે અતિચારરહિત ચારિત્ર પાળીને તથા યક્ષદેવ નામના આચાર્યને પિતાના સ્થાન ઉપર સ્થાપીને પિતાના ચોરાશી વર્ષના આયુષના અંતે સ્વર્ગમાં ગયા. ૨૧૭–૨૨૦ તે પછી પૂર્વાચલ ઉપર જેમ સૂર્ય પ્રકાશે તેમ, યક્ષદેવ નામના સૂરિ તેમના સ્થાન ઉપર આવીને પ્રાણીઓના અજ્ઞાન રૂ૫ અંધકારનો નાશ કરતા પ્રકાશવા લાગ્યા. ૨૨૧ એક દિવસે તે આચાર્ય વિહાર કરતા કરતા કરંટક નગરમાં ગયા અને ત્યાં મણિભદ્ર યક્ષના સ્થાનમાં પિતે રહ્યા. ૨૨ તે સમયે તેમના કોઈ એક નાના શિષ્ય પોતાની મૂર્ખાઈથી તથા બાળભાવની ચંચળતાથી યક્ષના મસ્તક ઉપરજ પાતરાનું ધાયેલું પાણી નાખ્યું. ૨૩ તેથી યક્ષ અત્યંત કોપાયમાન ( દુર ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy