________________
ઊકેશ ગચ્છની સ્થિતિ. પ્રિય મળશે એટલે અવશ્ય હું તમને વશ થઈશ અને તમારી ઇચ્છા સત્વર પૂર્ણ કરીશ.” આમ બોલતી દેવીને આચાર્યમહારાજે કહ્યું કે, “હે દેવિ ! તારે તારા પ્રતિસાવચનમાં સદા સ્થિર રહેવું. હું તને કડડા મઠડા (તેવા અનુકરણ શબ્દો) આપીશ. તેમાં તારે આનંદ માન.” ૧૯૯-૨૦૧ તે પછી ગુરુમહારાજના એ વચનનો સ્વીકાર કરી દેવી તત્કાળ અંતર્ધાન થઈ ગઈ અને પછી ગુરુમહારાજે પણ સર્વ શ્રાવકોને એકઠા કર્યા. ૨૦૨ શ્રાવકે બધા એકઠા થયા એટલે તેઓની આગળ આચાર્યમહારાજે કહ્યું કે, “હે શ્રાવકે ! ઉત્તમ સુંવાળી પૂરી વગેરે પક્વાન્ન તૈયાર કરાવો અને દરેક ઘેર કપૂર, અગર તથા કસ્તુરી વગેરે સુગંધી પદાર્થો એકત્ર કરે તેમજ પુષ્પ પણ સાથે લ્યો. એ પ્રમાણે બધું કર્યા પછી સત્વર તમે પૌષધશાળામાં આવે એટલે આપણે સંઘની સાથે ચંડિકાને મંદિરે જઈએ.” ૨૦૩-૨૧૫ પછી પૂજાની સામગ્રી લઈ શ્રાવકે પૌષધશાળામાં આવ્યા એટલે આચાર્ય મહારાજ તેઓની સાથે દેવીને મંદિરે ગયા. ૧૦૬ ત્યાં જઈને દ્વારમાં ઉભા રહી આચાર્ય મહારાજે શ્રાવકની સાથે દેવીની પૂજા કરી અને બોલ્યા કે, “ હે દેવી ! હું તારું ઈચ્છિત તને આપું. છું, તેને તું ગ્રહણ કર. ” ૨૦૭ એમ કહી પોતાની બન્ને બાજુ રહેલાં પકવાનથી ભરેલાં બે કુંડાઓને બંને હાથ વડે કડડ મડડ કરતાં ભાંગી નાખ્યાં અને પછી કહ્યું કે, “ હે દેવિ ! તું તારું ઇષ્ટ ગ્રહણ કર.” ૧૦૮ તે વેળા પ્રત્યક્ષ સ્વરૂપે આચાર્ય આગળ ઉભી રહેલી દેવી બોલી કે, “ મને પ્રિય કડડા મડડા તે આ નહિ પણ બીજાં છે.” ૨૦૯ ગુરુ મહારાજ બોલ્યા, “એ તારે કે મારે લેવા-દેવા ગ્ય નથી. હે દેવિ ! માંસભક્ષક તે રાક્ષસોજ હઈ શકે પણ દે તે અમૃતનું જ ભજન કરનારા છે. ૨૧૦ માટે સર્વ શ્રેષ્ઠ જીવદયા ધર્મને જ કેવળ તું આશ્રય કર.” પછી તે દેવી
( ૬ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org