________________
ઊકેશ ગચ્છની સ્થિતિ.
ગુરુમહારાજ બોલ્યા –“એ સમગ્ર વૃત્તાંત કહેવા માટે હું સમર્થ નથી, તેપણ સંક્ષેપમાં તને એ વૃત્તાંત કહું છું, સાંભળ.૩૪
ઊકેશ ગછની સ્થિતિ. આજ અવસર્પિણમાં ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના શિષ્ય શુભદત્ત નામના ગણધર થઈ ગયા છે. ૧૩૫ તેમને “કેશિ” નામના એક શિષ્ય હતા, જેમણે પ્રદેશ રાજાને બોધ આપી નાસ્તિકધર્મમાંથી જૈનધર્મમાં આપ્યો હતો. ૧૩૬ તેમના શિષ્ય સ્વયંપ્રભસૂરિ થયા. એક દિવસે તે મુનીશ્વર, વિહાર કરતા કરતા શ્રીશ્રીમાલ નગરમાં આવ્યા અને તે નગરના ઉદ્યાનમાં માસકલ્પ રહ્યા. ત્યાં અનેક ભવ્ય છ સંસારરૂપ વૃક્ષને નાશ કરવા માટે સતત તેમનું ઉપાસના કરવા લાગ્યા. ૧૩–૧૩૮ હવે તે જ સમયે વૈતાદ્યપર્વતમાં મણિરત્ન નામનો એક પ્રખ્યાત વિદ્યાધરરાજા તે વિદ્યાધરેના અવર્યનું પાલન કરી રહ્યો હત– અર્થાત ત્યાં રાજ્ય કરી રહ્યો હતો. ૧૩૯ એક દિવસે તે દક્ષિણ દિશામાં આવેલા આઠમા દ્વીપમાં નિત્યપ્રકાશિત અંજની પર્વત પર રહેલા શાશ્વતા તીર્થંકરને વાંદવાની ઈચ્છાથી એક લાખ વિમાનો સાથે આકાશ માર્ગે જતો હતો. તેવામાં નીચે પાંચસો સાધુઓ સહિત સ્વયંપ્રભસૂરિને તેણે જોયા.૧૪૦–૧૪૧ તુરતજ તેણે વિચાર કર્યો કે, જંગમતીર્થનું કદી ઉલ્લંઘન કરવું નહિ.” આવો વિચાર કરી આકાશમાંથી તે નીચે ઉતર્યો અને ભક્તિપૂર્વક પ્રણામ કરી દેશના સાંભળવાની ઈચ્છાથી ત્યાં બેઠે. ૧૪૨ આચાર્ય મહારાજે પણ સંસારની અસારતાને જણાવનારી એવા પ્રકારની દેશના આપી કે જેથી તેની બુદ્ધિ સંસારમાંથી વિરક્ત થઇ.૧૪૩ તેણે પિતાના પુત્રને રાજ્યાસને બેસાડી, સ્વજનોની રજા લઈ પાંચસો વિદ્યાધરની સાથે દીક્ષા લીધી. ૧૪૪ અનુક્રમે તે ગીતાર્થ થયો એટલે આચાર્ય મહારાજે તેને પિતાના
( ૧૫ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org