________________
પ્રસ્તાવ ૨.
શ્વરીએ કહ્યું કે, “થોડાજ દિવસમાં આને પુષ્કળ ધન પ્રાપ્ત થશે. પરંતુ આને સદા દક્ષિણ દિશામાંથીજ લાભ થશે, ઉત્તર, પૂર્વ કે પશ્ચિમ દિશામાંથી કદી લાભ થશે નહિ.” એમ કહીને તે સત્યકાદેવી ત્યાંથી અંતર્ધાન થઈ ગઈ એટલે આચાર્ય મહારાજે આશાધરના મસ્તકપર અમંગળને નાશ કરનાર વાસક્ષેપ છાંટો.૧૨૨-૧૨૪ તે પછી સાધુ આશાધરે દેવની વાણી ઉપરથી કુટુંબીઓની સાથે જવું-આવવું કરીને કેટલેક સતત વ્યવહાર (વેપાર-રોજગાર) ચાલુ કર્યો. ૧૨૫ અને અનુક્રમે વેપાર કરતાં કરતાં મંદરાચલથી મંથન કરેલા દક્ષિણ દિશાના સમુદ્રમાં તેણે લક્ષ્મી સંપાદન કરી.૨૬ પછી પૂર્વે કહેલાં ગુરુનાં વચનનું સ્મરણ કરી તે સ્વચ્છ અંત:કરણવાળા આશાધરે, પિતાના ધનનો સાતે ક્ષેત્રમાં વ્યય કરવા માંડ્યો. ૨૭ અને પછી તે તે લક્ષાધિપતિ બની ગયે, એક દિવસે તેણે શ્રીદેવગુપ્તસૂરિને વિનંતિ કરી કે, “આપ શરીરે હવે અશક્ત થયા છે અને વૃદ્ધાવસ્થાથી ઘેરાયા છે-વૃદ્ધ થયા છે, માટે તમે બીજા કોઈને આચાર્ય પદપર સ્થાપિત કરે. હું, મારા વૈભવપ્રમાણે તેમાં ધનવ્યય કરીશ. ૧૨૮-૧૨૯ તે સાંભળી આચાર્ય મહારાજે કહ્યું કે, હે પુરુષ! આ ગચ્છની તેવી મર્યાદા નથી. સત્યકાદેવીની આજ્ઞા વિના આ ગચછમાં બીજાને ગુરુ (આચાર્ય) કરી શકાય નહિ.૧૩૦ જ્યારે તે દેવી પિતેજ અમને આદેશ આપશે ત્યારે અમે કોઈને આચાર્ય કરીશું, તે વિના નહિ૧૩૧ તે સાંભળી આશાધરે પૂછ્યું કે, “ બીજા એક એક ગ૭માં ઘણું આચાર્યો કરવામાં આવે છે, તો પછી આપણું ગચ્છમાં એકજ આચાર્ય કેમ હેય 2૧૩૨ માટે હે પૂજ્ય મહારાજ આપણું ગ૭ની સ્થિતિ કંઈક અંશે હમણું મને સંભળાવો. કેમકે એ વૃત્તાંત જાણ્યા વિના મનુષ્ય મૂઢ જે બની જાય છે.”૧૩૩
( ૧૪ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org