________________
વેસટના વંશનું વર્ણન.
દેરાસરમાં એકવીશ આંગળની શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમાને મૂળનાયક તરીકે તથા તેમના પરિવારમાં એક સિત્તેર બીજી પ્રતિમાઓને તૈયાર કરાવી અને તેઓ સર્વની શ્રીદેવગુપ્તસૂરી પાસે વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરાવી. વળી એક નવું દેરાસર કરાવીને તેમાં કેટલીએક પ્રતિમાઓ બેસાડી અને તેના આગળના ભાગમાં અતિવિશાળ એક મંડપ બંધાવ્યો. ૮૯-૯૧ એ પ્રમાણે નિરંતર ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કર્યા કરતો હતો તેવામાં અનુક્રમે એને “ગેાસલ” નામને એક પુત્ર ઉત્પન્ન થયો, ૯૨ તેને એના પિતાએ સારા ઉપાધ્યાય પાસે સમગ્ર કળાએ ભણાવ્યો, જેથી તે અલ્પકાળમાં જ વિદ્વાનોના સમૂહમાં અગ્રેસર થયે. ૯૩ પછી તેને “ગુણમતી” નામની એક કન્યા સાથે પરણાવ્યો, કે જે કન્યા રૂપ તથા યૌવનથી યુક્ત હતી અને કુળ તથા શીલના ગુણથી સંપન્ન હતી. ૯૪ તે બન્ને સ્ત્રીપુરુષનાં ચિત્ત પ્રીતિભાવથી એટલાં ભાવિત–વાસિત બની ગયાં કે જેથી તેઓનો કેટલેક કાળ સુખચેનમાં જ ચાલ્યો ગયો. તે પછી એક દિવસે આજડે પિતાના આયુષનો અંત આવેલે જાણી દેવગુપ્તગુરુને પોતાની પાસે બોલાવ્યા અને તેમની આગળ આવી વિનંતિ કરી,૯૬ “ હે પ્રભુ ! આપ મારા પૂજ્ય છે અને તેથી હું આપને પૂછું છું કે, આ (મરણ) સમયે શ્રાવકોએ જે કંઇ પોતાનું આત્મસાધન કરવું જોઈએ, તેને આપ મને તારવા માટે ઉપદેશ કરે.” દ તે સાંભળી આચાર્ય મહારાજે મિથાદુકૃતપૂર્વક સિદ્ધાન્તમાં કહેલી શુદ્ધ આરાધના વિધિ પ્રમાણે તેની પાસે કરાવી. ૯૮ પછી તે સત્પષે ચારે પ્રકારના સંધ પાસે ક્ષમા માગી તેમજ સર્વ જીવોને ( મન, વચન અને કાયા–એમ) ત્રણ પ્રકારે ખમાવ્યા. ૯ પછી સાતે ક્ષેત્રમાં ધનનો વ્યય કરવા માટે પિતાના પુત્રને તેણે શિખામણ આપી અને પિતાના બંધુઓને પિતાનું ધન વહેંચી આપી શુદ્ધ
( ૧ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org