________________
પ્રસ્તાવ ૨.
ચોથી પેઢીમાં જે એક પુત્ર થશે તે તે તીર્થનો ઉદ્ધાર કરનાર થશે. કેમકે તમે નગરમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે ચોથા શકુનમાં ભગવાનને આ રથ તમને સામો મળ્યો છે.”૭૭-૭૯તે પછી એ શકુનત્તાને દ્રવ્ય તથા પાન વગેરે આપીને સલક્ષણે સન્માન કર્યું અને રથમાં બેઠેલા શ્રી પાર્શ્વનાથ ભગવાનને નમન કરી પોતાના ગુરુને પણ વંદન કર્યું. ૮૦ સલક્ષણે પેલા સાથે પતિના વર્ણન કરતાં પણ અધિક સુંદરતાવાળા તે નગરને પ્રત્યક્ષ જોઈ, પિતાનાં બને નેત્રને, જન્મને તથા જીવિતને કૃતાર્થ માન્યાં. ૮૧ પછી તેણે ત્યાં રહેવા માટે અનાયાસે એક મકાન મેળવી લીધું અને તેમાં તે સ્વસ્થ મનથી રહેવા લાગ્યો તથા સુખેથી ધન સંપાદન કરવા લાગે. ૮૨ એ રીતે સુંદર એક વૃક્ષની પેઠે પિતાના મળને મજબૂત રીતે બાંધીને તે ત્યાં રહ્યો ત્યારે તેની છાયા (કાંતિ) સર્વના આશ્રયસ્થાનની પેઠે કાઈક અપૂર્વ–અલૌકિક થઈ.૮૩ હવે એ નગરમાં ઉપકેશ નામને એક ગચ્છ હતો અને તેની વ્યવસ્થા નીચે પાર્શ્વનાથ ભગવાનનું એક મંદિર હતું. તેમાં એ શ્રેષ્ઠી (સલક્ષણ) આનંદપૂર્વક ગોષિક થયો–અર્થાત દેરાસરના વ્યવસ્થાપક તરીકેનું કામ કરવા લાગ્યો. પછી તે શ્રેષ્ઠીને “આજડ' નામનો એક પુત્ર થયો કે જે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા ચંદ્રમાની પેઠે પિતાની સર્વ કળાઓના વિસ્તારથી પૃથ્વીમાં સર્વને આનંદ પમાડવા લાગ્યો. ૮૫ વળી તે આજડ શ્રી પાર્શ્વનાથના દેરાસરમાં, પૌષધશાળામાં તથા પિતાના ગુરુ પાસે આદરપૂર્વક ભક્તિભાવ કરવા લાગે. ૮૬ પિતાને પિતા જ્યારે મરણ પામ્યો, ત્યારે આજડ તેમને સ્થાનકે આવ્યો અને લોકોમાં અધિકાધિક માન્ય થયો. ૮૭ જેમ પૂર્વાચલ ઉપર સૂર્ય ઉદય પામે તેમ, એ આજડ પણ સાર અસાર વસ્તુનો જગતમાં પ્રકાશ પાડતો તથા લોકેાનો નિરંતર ઉપકાર કરતે પ્રતિદિન અભ્યદય પામવા લાગે. ૮૮ તેણે ઉપકેશ ગછના પાર્શ્વનાથના
તથા પિતા ન્યાયાધિક માન્ય થી
( પત્ર )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org