SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૨. ધ્યાન કરવામાં તે તત્પર થયે; ચતુઃ શરણને આશ્રય કરી તે બુદ્ધિમાન શ્રેષ્ઠીએ અનશન ગ્રહણ કર્યું, પંચ પરમેષ્ઠિ નમસ્કારનો ઉચ્ચાર કરવા માંડ્યો તથા ભવ્ય જીવોના મુખથી તેનું શ્રવણ પણ કરવા માંડયું. એ રીતે શુદ્ધ ધ્યાન કરીને પોતાના પવિત્ર ઘરને તથા દેહને ત્યાગ કરી તે સ્વર્ગે ગયો. ૧૦૦–૧૦૨ તેના પુત્ર ગોસલે પણ પિતાના મૃત્યુનો ઉત્સવ કરી નગરવાસીઓનાં સર્વ કાર્યો સાધવા માંડયા અને નિરાકુળપણે કાળ વ્યતીત કરવા માંડશે. ૧૩ તેની સ્ત્રી ગુણમતી, કે જે ઘણીજ ભાગ્યશાળી હતી તેણે લેકને આનંદ આપનારા અનુક્રમે ત્રણ પુત્રને જન્મ આપ્યો. જેમ મનુ ના કંઠની શક્તિ ત્રણ સ્વરેને ઉત્પન્ન કરે છે તેમ, ૧૦૪ એ ત્રણ પુત્રેમાં પહેલો “આસાધર” નામને હતો, બીજે દેસલ નામનો હતો અને ત્રીજે લાવણ્યસિંહ નામને હતો. આ ત્રીજો પુત્ર અવસ્થાપરત્વે સૌથી નાને હતો પણ ગુણમાં સોના કરતાં શ્રેષ્ઠ હતો. ૧૦૫ જેમ તક્ષક ના પિતાની ત્રણ ફણાઓ વડે લેકમાં અસહ્ય ગણાય છે તેમ, ગેસલ પણ પિતાના એ ત્રણ પુત્રો વડે લેકામાં અસહ્ય થઈ પડયો અને બીજા શ્રીમંતોમાં પણ મુખ્ય થઈ પડ્યો. ૧૦૬ પછી પિતાએ એ ત્રણે પુત્રોને રત્નશ્રી, ભાલિકા અને લક્ષ્મી નામની ત્રણ કન્યાઓ અનુક્રમે પરણાવી. ૧૭ એ ત્રણે પુત્રો હમેશાં પિતાની આજ્ઞામાં રહેતા હતા, જેથી તેઓની સહાયને લીધે ગેસલ શ્રેષ્ઠી સુખેથી પોતાને કાળ વ્યતીત કરવા લાગે. ૧૦૮ એ રીતે કેટલોક કાળ ગયો તે પછી કર્મના વેગને લીધે ગોસલ શ્રેષ્ઠી અનુક્રમે નિર્ધન બની ગયો, અને બનવા જોગ પણ છે. કેમકે લક્ષ્મી, જે પિતાના ઘરરૂપ કમળમાં પણ સ્થિર રહેતી નથી, તે કોઈ મનુષ્યને ત્યાં શું સ્થિર રહી શકે ? ૧૦૮ તે પછી અલ્પસમૃદ્ધિવાળો થયેલે ગેસલ પણ પિતાના આયુષને ક્ષય થયે, ત્યારે પાપબુદ્ધિ ( પર ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy