________________
પ્રસ્તાવ ૨.
હવે એક દિવસે ગુજરાત દેશમાંથી કોઈ સાર્થવાહક પિતાના સાર્થની સાથે અઢળક કરી આણું લઇને તે નગરમાં આવ્યો. ૩૭ એક સમયે તે પિતાની દુકાનમાં સ્વસ્થ થઈને બેઠા હતા. ત્યારે સલ્લક્ષણે હર્ષથી અને કૌતુકથી આવી લોકવાયકા તેને પૂછી. ૩૮ “ તમે કયા દેશમાંથી આવ્યા છો ? તમારે એ દેશ કેવો ગુણવાન તથા સમૃદ્ધિમાન છે ? એ દેશમાં જે કોઈ શ્રેષ્ઠ નગર હોય તે વિષે મારી આગળ તમે સંપૂર્ણ વર્ણન કરે.” પછી તે સાર્થપતિએ કહ્યું કે, “હે મહા બુદ્ધિમાન ! હું ગુજરાત દેશમાંથી આવ્યો છું. ખરેખર, જો મને એકે હજાર જીભ હોય તેજ એ દેશના ગુણોને હું વર્ણવી શકું. ૩૯-૪૦ તે પણ એ દેશના કેટલાએક ગુણનું હું થોડુંકજ વર્ણન કરું છું. કેમકે, ઈન્દ્રની સમૃદ્ધિ જો કે અદ્દભુત છે તો પણ તેનું શું વર્ણન કરવામાં આવતું નથી ? ૪૧ ગૂજરાત દેશની ભૂમિ સમગ્ર જાતની ધાન્યસંપત્તિને ઉત્પન્ન કરવામાં સમર્થ છે, ત્યાં પર્વતે ઘણું આવેલા છે, તેના કૂવાઓ તદ્દન સમીપમાંજ રહેલા જળથી ભરપૂર છે અને તેથી જ તે ભૂમિ કેવળ જળમય છે. વળી તે દેશમાં નારંગી, મોસંબી, જાંબુ, લીંબડા, કદંબ, કેળ, સરગ, કઠ, કરમદાં, ચારોળી, પીલુ, આંબા, સીતાફળ, બહેડાં, બીજોરાં, ખજૂર, દ્રાક્ષ, શેરડી અને ફણસ વિગેરેનાં ઝાડ તેમજ રસળી, કેવડે, જાઇ, ચંપ, શેવંતી, માલતી, વાળો, જાસુદ, સમુલ, જૂઈ–વગેરે લતાઓ પુષ્કળ છે. ૪૩-૪૫ તારી પાસે હું કેટલાંક વૃક્ષનાં નામ લઉં, પણ સંક્ષેપમાં એટલુંજ કહી શકાય કે આ પૃથ્વી ઉપર જેટલાં વૃક્ષો ફળવાળા ગણાય અને જેટલાં વૃક્ષો પુષ્પવાળા થાય છે–તેઓ સર્વે તે દેશમાં છે.૪૬ એટલું જ નહિ પણ એ દેશની ભૂમિમાં એવો ગુણ છે કે જેથી મગ, તુવેર, ડાંગર, અડદ, ઘઉં, જુવાર અને બાજરી–વગેરે સર્વ જાતનાં અન્ન નીપજે છે. ૪૭ એ દેશમાં રહેનાર સર્વ મનુષ્ય, સમુદ્રના પુષ્કળ કિનારાઓ પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org