________________
વેસરના વંશનુ વર્ણન.
» ૨૭
જિનેશ્વરના માર્ગોમાં રહીને ખમા ઉત્સાહ પ્રાપ્ત થયેા. ૨૪ પછી શ્રેષ્ઠી જિનદેવે સૂરિ' નામના પેાતાના ગુરુમહારાજને સત્વર ખેલાવ્યા અને પેાતાના મનારથને સંપૂર્ણ કર્યાં.૨૫ પછી તે શ્રેષ્ઠીએ કૃતાર્થ થઈને બે હાથ જોડી ગુરુમહારાજને કહ્યું કે, “હે પ્રભુ ! હજી. મારું આયુષ્ય કેટલું છે, તેને આપ વિચાર કરે. • ૨૬ તે સાંભળી આચાર્ય મહારાજે વિચાર કરીને કહ્યું કે, “હે જિનદેવ ! તારૂં આયુધ્યે હવે ત્રણ મહિના બાકી છે. માટે તું ધર્માંપરાયણ થા. તે પછી તેજ સમયે એકદમ ઉભા થઇ જઈને તથા ગુરુને પ્રાર્થના કરીને તે શ્રેષ્ઠી પેાતાનું મૃત્યુ સમીપમાં આવ્યું તેથી ધમ કરવામાં ઉદ્યમી થયા. ૨૮ તેણે યોગ્ય સમયે આચાર્ય મહારાજને ખેલાવીને અનશન વ્રત ગ્રહણ કર્યું અને પ્રાણી માત્રને અભયદાન આપ્યું. ૨૯ એ રીતે નિરતીચારપણે અનશન વ્રત પાળીને તે શ્રેષ્ઠી સ્વર્ગીમાં ગયા અને પાછળથી તેના પુત્રે તેની સર્વ મરણક્રિયા કરી. ૩૦ તે પછી તેના પુત્ર નાગેન્દ્ર, ધરના ઐશ્વને પામ્યા અને સમય જતાં સેંકડ બધાએથી એક પુત્ર પ્રાપ્ત કરીને તે આનંદ પામ્યા. ૩૧ તેણે પોતાના પુત્રના અવયવેામાં અદ્દભુત લક્ષણા જોઇને ધણાજ ઉત્સવપૂર્ણાંક તેનું ‘સહ્યક્ષ” એવું નામ પાડયું. ૭૨ પછી તે સલક્ષણે સમગ્ર કળાઓને અલ્પસમયમાંજ અભ્યાસ કરી લીધા અને વ્યવહાર, આચાર તથા ગુણામાં પણ તે કુશળ થયા. ૩ એટલે તેના પિતા નાગેન્દ્ર, ધરના સભાર પુત્ર ઉપર સ્થાપીને તેમજ પેાતાના ધનને સાત ક્ષેત્રામાં કૃતાર્થ કરીને સ્વર્ગ ગયા. ૪ એ પ્રમાણે પિતા સ્વગે ગયા ત્યારે સુવર્ણ સમાન કાંતિવાળા સાધુ સલક્ષણ, પેાતાના ધરના વૈભવાના સ્વામી થયેા. ૩૫ તેની બુદ્ધિ દેવાની પૂજામાં તથા આવશ્યક વગેરે ધર્મ-કર્મમાં નિત્ય આસકત રહેવા લાગી અને ગુરુભકિતમાં તત્પર રહી સુખપૂર્વક તે સુખેથી પેાતાના સમય ગાળવા લાગ્યા. ૩૬
Jain Education International
( ૪૧ )
For Private & Personal Use Only
www.jainelibrary.org