________________
વેટના વંશનું વર્ણન.
અલ્પ વ્યવસાય કરે છે તે પણ અખૂટ ધન સંપાદન કરે છે. ૪૮ વળી ત્યાં નાગર (સેપારી) ના ટુકડા તથા નાગરવેલના પાન મિત્રોની પેઠે પ્રાણીઓના મલીન મુખને પણ રંગી આપે છે. ૪૯ તેમજ એ દેશમાં પરબ, કુવા, તળાવ, ગામ અને અન્નક્ષેત્ર વગેરેમાં સ્થિતિ કરનારા કોઈ પણ મુસાફરે પોતાની સાથે ભાથું કે પાણી કદી લેતા નથી. ૫૦ તે દેશમાં મુસાફરે ગાઢ વૃક્ષોની પંકિત નીચે ચાલે છે, તેથી સૂર્યના તાપથી કદી સંતાપ પામતા નથી.૫૧ શત્રુંજય, રૈવતક (ગિરનાર) વગેરે તીર્થો પણ એ દેશમાં ઘણું આવેલાં છે કે જેઓ પોતાનું સેવન કરનાર ભવ્યજીવોને મોક્ષપદે પહોંચાડી આપે છે. ૫૨ વળી સોમનાથ, બ્રહ્મસ્થાન, મૂળસ્થાન તથા સૂર્યતીર્થ વિગેરે લૌકિક તીર્થો પણ ત્યાં છે.૫૩ એ દેશમાં કસુંબી તથા મજીઠીઆ રંગથી રંગેલાં અને રેશમથી વણેલાં રંગબેરંગી વોને સર્વ મનુષ્યો સદા ધારણ કરે છે. ૫૪ અને ત્યાં પ્રાણીઓના ઉપકારથી, સદાચારથી તથા પ્રિય ભાષણેથી વિદ્વાન પ્રસન્ન થાય છે તેથી એ દેશને “વિવેકબૃહસ્પતિ એવું ઉપનામ આપે છે."ખરેખર, પૃથ્વી પર જેટલા દેશો છે તેઓ સર્વે એ દેશની સમાનતા કરી શકે તેમ નથી; અને સ્વર્ગને તો મેં જોયું નથી તેથી સ્વર્ગની સાથે પણ એ દેશની સમાનતા હું કેમ કહી શકું ? ૫૬ એ દેશના ગામડાં પણ અતુલ વિભવવાળાં હેઈને નગરો જેવાં છે અને નગરની ગણત્રી તો તારી પાસે હું કઈ રીતે કરી શકું તેમ નથી. પણ કેમકે હે શ્રેષ્ઠ સલક્ષણ! એ દેશમાં અણહિલપુર, સ્તંભતીર્થ-વગેરે સ્વર્ગના જેવાં અસંખ્ય નગરે છે. ૫૮
પ્રહાદનપુરનું વર્ણન. હાલમાં એ દેશમાં પ્રહાદનપુર નામનું એક નગર છે. હું માનું છું કે સ્વર્ગમાં પણ એના જેવું કાઈ નગર હશે કે કેમ? એ શંકાસ્પદ છે. ૫૯ એ નગરમાં પુષ્કળ ધન સંપાદન કરવાના સંયોગ
(૪૭ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org