SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ જ છઠનો તપ કરો. આ મહાપર્વના દિવસે છઠનો તપ કરવાથી લાખ કરોડ (૧ હજાર અબજ) છઠનો તપ કર્યાનું ફળ મળે છે. “લખ કોડી છઠ ફલ કરી, કલ્યાણક કરો એહ'-એમ દિવાળીના ચૈત્યવંદનમાં કહેલ છે. વળી શક્ય બને તો પૌષધ વ્રત કરો. પરમાત્માની ભવ્યાતિભવ્ય અષ્ટપ્રકારી પૂજા કે સ્નાત્ર મહોત્સવ ગોઠવો તથા ભવ્યાતિભવ્ય પરમાત્માની અંગરચના કરાવો. રાત્રે દેવવંદન અને જાપ કરો. ગરીબોને અન્નદાન, વસ્ત્રદાન, વાસણદાન કરી તેમના હૃદયમાં પ્રભુવીરનો વાસ કરાવો. દારૂખાના વિરોધી રેલી કાઢીને સરકારને તથા જૈનો-અજૈનોને જાગ્રત કરો. પાઠશાળાના બાળકો દ્વારા પણ રેલીનું આયોજન કરી શકાય. તેથી બાળકોમાં પણ ચેતના આવશે. બાળકોના વિશિષ્ટ પ્રોગ્રામો ઊભા કરો. હિન્દુઓને પણ ફટાકડાના પાપથી બચાવવા માટે મહેનત કરો. પ્રભુવીરે છઠનો તપ કરીને ૧૬ પ્રહર દેશના આપેલ, તેમાં પ્રભુવીરે શું શું કહેલ અને તે વખતે કઈ કઈ ઘટનાઓ બનેલ તે દિવાળીના પ્રવચનોમાં સાંભળવા મળે છે. આ પ્રવચનો કદી ચૂકશો નહીં. બેસતા વર્ષના દિવસે સવારના પહોરમાં માંગલિક સાંભળવા માટે તમે સૌ દોડતાં દોડતાં ઉપાશ્રયે આવો છો, કેમ ? આખું વર્ષ મંગલમય જાય માટે ને ? અરે ! ભાગ્યશાળીઓ! મૃત્યુ વખતે જે આરાધના કરે છે, તેને પછીના ભવમાં સદ્ગતિ મળે છે, તેમ બેસતું વર્ષ આવે તે પહેલાં એટલે કે દિવાળીમાં જે બરાબર આરાધના કરે છે, તેનું નવું આખું વર્ષ મંગલમય બને છે. માટે ચોપડા પૂજન, ઓફિસના મુહૂત વગેરે ગૌણ કરીને દિવાળીની આરાધનામાં લાગો. દારૂખાનું એ તો ભયાનક અમંગળ છે. તેને તો સપનામાં પણ અડશો નહીં. વર્તમાનમાં ભારતની પ્રજા ઉપર જે આપત્તિઓ વધતી જાય છે, તેના ફળમાં દારૂખાનું વગેરે જેવા ભયાનક અમંગળો પણ પડેલ છે. સ્વાધ્યાય પીઠ તરફથી દિવાળી પરિવાર' બુકલેટ પ્રગટ કરવામાં આવી છે. જેમાં દિવાળી અને દારૂખાના સંબંધી ઘણી વિગતો છે. વાચકો તે વાંચીને કદાચ જીંદગીભર માટે દારૂખાનું છોડી દે અને દિવાળીની આરાધનામાં જોડાય તેવી સંભાવના છે. જથ્થાબંધ મેળવીને અનેકોને ભેટ કે પ્રભાવના રૂપે આપવા યોગ્ય છે. નવરાત્રિના ગરબા જૈનેતર હિન્દુઓમાં નવરાત્રિના અંબામા ના ગરબાનું ઠીક ઠીક મહત્ત્વ જોવા મળે છે. તેઓની મૂળભૂત પરંપરા મુજબ માત્ર બહેનો જ આગરબા રમી શકે, ભાઈઓથી રસોડાનું તત્ત્વજ્ઞાન - ૮૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy