SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ * લગ્ન પ્રસંગોમાં પણ દારૂખાનાને તિલાંજલી આપીશું. ઓ હિન્દુઓ! અહિંસા પરમો ધર્મ' એ આપણું ઘર્મ સૂત્ર છે. ધર્મ રક્ષા કાજે તમે પણ દારૂખાનાનો બહિષ્કાર કરજો. પર્યુષણમાં જીવદયાના ફંડફાળા કરનારા છે જેનો ! પહેલા આ ઘોર હિંસાનો ત્યાગ કરો. એટલું જ નહીં, દિવાળી બચાવો સમિતિ બનાવીને રૂા. પ-૨૫ હજારનો ખર્ચ કરીને જૈનો-અર્જનોમાં દારૂખાના અંગે જાગૃતિ લાવવા બરાબર પ્રચાર કરો. બેનરો વગેરે બનાવડાવીને જાહેરમાં મૂકો. આ દિવસોને દારૂખાનાથી આનંદના બદલે ગરીબોને ખવડાવીને આનંદમાં ટ્રાન્સફર કરાવો. જૈનો-અજૈનોમાં એવી જાગૃતિ લાવો કે “ભાઈઓ! ગરીબો ખૂબ છે, દારૂખાનુ બંધ રાખી તે પૈસા ગરીબોને જમાડવામાં વાપરીએ અને આ રીતે માનવતાના કામો કરીએ. કોઈ પણ રીતે દારૂખાના દ્વારા ચાલતી ઘોર હિંસા દૂર કરાવી અમારિનું પ્રવર્તન કરાવો. દિવાળી એટલે આપણાં સૌથી મોટા ઉપકારી પ્રભુવીરનું નિર્વાણ કલ્યાણકા પ્રભુવીર સાક્ષાત્ ભાવદીપક હતા. તેઓએ આપણી વચ્ચેથી વિદાય લીધી માટે સૌએ ઘેર ઘેર દીવડાપ્રગટાવ્યા. પર્યુષણમાં પ્રભુવીરના જન્મ વાંચન વખતે આપણે નાળિયેર વધેરીએ અને એ જ પ્રભુવીરના નિર્વાણ કલ્યાણકના દિવસને દારૂખાનુ અને ખાવાપીવાના જલસાથી ઉજવવાનો? અરે ! આ તો પ્રભુવીરની ઘોર આશાતના છે. પ્રભુવીરના શાસનમાં આપણે છીએ. સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકા તરીકેનું આપણું અસ્તિત્વ છે, તે પ્રભુવીરને આભારી છે. શું ઉપકારી પિતાશ્રી કે દાદા વગેરેના મૃત્યુ દિવસને દારૂખાનું ફોડીને અને જલસાબાજી કરીને ઉજવાય ખરો? તો પ્રભુવીર તો આપણા સર્વોત્કૃષ્ટ ઉપકારી ભગવાન છે. પ્રભુવીરે નિર્વાણ પામતાં પહેલા છઠનો તપ કરીને લગાતાર ૧૬ પ્રહર=૪૮ કલાક સુધી દેશના આપેલ. એ દિવસોમાં છઠનો તપ અને આરાધના કરવાને બદલે દારૂખાનું અને જલસો? હે જૈન શ્રીમંતો ! હે શાસનપ્રેમી કાર્યકરો ! હે ધર્મપ્રેમી શ્રાવકો ! હે સંઘના અગ્રણીઓ-ટ્રસ્ટીઓ! તમે તમારા શ્રીસંઘમાં આ દિવાળી મહાપર્વમાં પર્યુષણ જેવો માહોલ ઊભો કરવા કટીબદ્ધ બનો. પ્રભુવીર તમારા દિલમાં હોય તો આજ-કાલ દુષિત બનેલા આ પ્રભુવીરના કલ્યાણક દિવસને ઉત્સવમય બનાવી દો. દુનિયા ગમે તે કરે. જૈનો માટે દિવાળી એ લૌકિક તહેવાર નથી. દિવાળી એ જૈનો માટે પ્રભુવીર પ્રત્યેની શ્રદ્ધાનો દિવસ છે. પ્રભુવીરની યાદમાં ઘેર ઘેર નાના-મોટા બધા રસોડાનું તત્ત્વજ્ઞાન - ૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy