SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ જોવા માટે પણ ઉભા ન રહેવાય. પરંતુ વર્તમાનમાં આ ધર્મના તહેવારના ઓઠા નીચે અનેક યુવાનો-યુવતીઓ પોતાના જીવનને પાયમાલ કરી રહ્યાં છે. તેમજ અનેક ધંધાદારી માણસો આ તહેવારના નામે ધીકતો ધંધો કરે છે. જૈનેતર શ્રધ્ધાળુઓએ આ માટે, જાગ્રત થઈ, ઘુસેલી બદીઓને દૂર કરવી જોઈએ. ખેર! જૈનોને ખાસ જણાવવાનું કે આ તમારો તહેવાર ન હોવાથી તથા રાત્રે થતાં રાત્રિભોજન તેમજ સેકસના પાપો અને પાછળથી થતાં હજારો ગર્ભપાતોના પાપની અનુમોદનામાંથી બચવાની ઈચ્છા હોય તો ગરબા રમવા જવાનું, જોવા જવાનું કે સીધી યા આડકતરી રીતે પ્રોત્સાહન આપવાનું બંધ કરી દેવું જોઈએ. કુટુંબના કોઈપણ સભ્યની પવિત્રતાના રક્ષણ માટે આ નિમિત્તે રાત્રે બહાર નીકળવા ઉપર ઘરના વડીલોએ કડક પ્રતિબંધ મૂકવો જોઈએ. -: સ્વાધ્યાય :પ્ર-૧: ખાલી જગ્યા પૂરો. (૧)..... એટલે અજ્ઞાની જીવો માટે પાપના પોટલાઓ ઊભા કરવાની સીઝન. (૨) દિવાળી એટલે...... નું નિર્વાણ કલ્યાણક. (૩) દિવાળી વખતે પ્રભુવીરે ...... નો તપ કરેલ. (૪) જૈનો માટે દિવાળી એ...... નથી. (૫) જેનો માટે એપ્રભુવીર પ્રત્યેની.....નો દિવસ છે. પ્ર-૨ : ટુંકમાં જવાબ લખો. (૧) દારૂખાના સંબંધમાં કયા કયા પાપતમે છોડી દેશો? (૨) શું પ્રભુવીરની ઘોર આશાતના છે? શા માટે? (૩) દિવાળીના છઠનો તપ કરવાથી કેટલો લાભ મળે છે? (૪) દિવાળીના પ્રવચનોમાં શું શું સાંભળવા મળે છે? (૫) દારૂખાનુ એ માનવહત્યા પણ છે? શા માટે? પ્ર-૩ : મુદ્દાસર જવાબ લખો. (૧) દારૂખાનાથી કઈ કઈ રીતે પાપકર્મ બંધાય છે? તે લખો. અથવા દારૂખાનું એટલે કતલખાનું. કઈ રીતે? સમજાવો. (૨) દારૂખાનાના પાપથી આ ભવ-પરભવમાં કેવા કેવા ફળ મળે, તે લખો. (૩) જૈનો માટે દિવાળી એ શું છે? જૈનોએ દિવાળી શી રીતે પસાર કરવી જોઈએ? (૪) જૈન શ્રીમંતો, કાર્યકરો, ટ્રસ્ટીઓ વગેરેએ દિવાળી માટે શું શું કરવું જોઈએ? શા માટે? (૫) નવું વર્ષ મંગલમય બને એ માટે કયારે શું શું કરવું જોઈએ? (૬) નવરાત્રિના ગરબા રમવા-જોવા જવું વગેરે મહાપાપનું કારણ બન્યું છે, કઈ રીતે? લખો. (૭) દારૂખાનાના પાપથી જૈનો-અજૈનોને બચાવવા શું શું કરવું જોઈએ? તેમાંથી તમે શું શું કરી શકો? –૪–૪–૪– Jain Education International For Private & Personal Use Only ત્વજ્ઞાન - ૮૫ www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy