SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ બારમું વ્રત : અતિથિ સંવિભાગ શિક્ષાવ્રત : મહિનામાં કે વર્ષમાં અમુક અતિથિ સંવિભાગ વ્રત કરવાનો અહીં નિયમ લેવાનો હોય છે. આ વ્રતમાં અહોરાત્રનો પૌષધ, ચઉવિહાર ઉપવાસ અને પારણે એકાસણું કરવાનું હોય છે. પારણાના દિવસે સાધુ કે સાધ્વી ભગવંતને વહોરાવી તેઓ જેટલી ચીજ વહોરે તેટલી જ ચીજથી એકાસણું કરવાનું હોય છે. જો સાધુ કે સાધ્વીનો સંયોગ ન મળે તો છેવટે શ્રાવક-શ્રાવિકાની ભક્તિ કરીને પણ કરી શકાય. આ બાર વ્રતમાં પહેલા પાંચ અણુવ્રત, પછીના ત્રણ ગુણવ્રત અને પછીના ૪ શિક્ષાવ્રત કહેવાય છે. આ બારમાંથી શકય બને તેટલા વ્રતો દરેક શ્રાવકે લેવા જોઈએ. વળી તેમાં જરૂર જણાય ત્યાં વિશેષ છૂટ રાખીને પણ નિયમ લઈ શકાય છે. ટુંકમાંપાપથી શકય વધુમાં વધુ બચવા માટે શ્રાવક જીવનના વ્રતો-નિયમો લેવા જોઈએ. (આ બાર વ્રતો અને તેના પેટા નિયમો લેવા માટે-જાણવા માટે મારું લખેલ પુસ્તક ‘સમકિત મૂલ બાર વ્રત' ખૂબ જ માર્ગદર્શક રૂપ બની શકે તેમ છે.) -: સ્વાધ્યાય ઃ પ્ર-૧ : ખાલી જગ્યા પૂરો. (૧) પ્રતિજ્ઞા ન લેવાથી તે અંગેનું . નામનું પાપ ચાલુ જ રહે છે. (૨) વ્રતમાં પહેલા પાંચ ..., પછી જેટલા પાપો લેવાથી ખાબોચિયા જેટલા થઈ જાય છે. (૩) શ્રાવકના ...... વ્રતો છે. (૪) બાર ગુણવ્રત અને પછીના ચાર ............... . કહેવાય છે. (૫) બાર વ્રતો સારી રીતે જાણવા માટે સ્વા. પીઠ દ્વારા પ્રકાશિત ..... પુસ્તક ખૂબ જ માર્ગદર્શક બને તેમ છે. પ્ર-૨ : ટુંકમાં જવાબ લખો. (૧) કઈ વાત સારી નથી ? (૨) તીર્થંકર ભગવંતો શું કહે છે? (૩) પાપકર્મ બંધાવાના ૪ કારણો કયા? (૪) વ્રતો લેતા પહેલા સમ્યક્ત્વ વ્રત લેવું શા માટે જરૂરી છે ? (૫) ભોગ અને ઉપભોગ એટલે શું? (૬) કયાવ્રતમાં અભક્ષ્ય વગેરેનો ત્યાગ આવે છે ? (૭) અર્થદંડ એટલે શું? પ્ર-૩ : મુદ્દાસર જવાબ લખો. (૧) શા માટે પ્રતિજ્ઞાઓથી જીવનને નંદનવન જેવું બનાવી લેવું જોઈએ? (૨) સમ્યક્ત્વ એ શું છે ? (૩) સમ્યક્ત્વ વ્રત સમજાવો. (૪) બારવ્રતના નામ લખો અને દરેક વ્રતોને ટુંકમાં સમજાવો. Jain Education International X-X-X For Private & Personal Use Only રસોડાનું તત્ત્વજ્ઞાન – ૬૪ www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy