SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ જ આપણે જગતના પાપોની અપેક્ષાએ ૯૯% પાપો તો કરતાં જ નથી. જે પાપો કરીએ છીએ તે ઘણા જ ઓછા છે. તો ઘણા બધા પાપોથી બચવા શ્રાવક જીવનના વ્રતોનિયમો લેવાનું નક્કી કરો. દરિયા જેટલા પાપો પ્રત્યેક પળે બંધાય છે, પણ વ્રતોનિયમો લેવાથી ખાબોચિયા જેટલા થઈ જશે. શ્રાવકના બાર વ્રતો છે, પણ તે લેતા પહેલા સમ્યક્ત્વ નામનું વ્રત લેવું જરૂરી છે. કેમકે ગમે તેટલા કષ્ટ કરો, તપ કરો, સંયમ પાળો, વ્રત સ્વીકારો, પણ જો સમ્યક્ત્વ ન હોય તો તેનું ઝાઝું ફળ મળતું નથી. જેમ ઉખર ભૂમિમાં વાવેલાં બીજ ઉગતા નથી, તેમ મિથ્યાત્વવાસિત (સમ્યક્ત્વવિહોણા) જીવે સ્વીકારેલાવ્રતોનું ઝાઝું ળ મળતું નથી. * સમ્યક્ત્વ એ ઘર્મરૂપી વૃક્ષનું મૂળ છે. * સમ્યકત્વ એ ધર્મનગરીમાં પ્રવેશવાનો ભવ્ય દરવાજો છે. સમ્યક્ત્વ એ ઘર્મરૂપી મહેલનો મજબૂત પાયો છે. સખ્યત્વ એ ઘર્મરૂપી જગતનો આધાર છે. સમ્યકત્વ એ ઘર્મરૂપી સ્વાદિષ્ટ ભોજનનો સુવર્ણ ચાળ છે. સમ્યકત્વ એ ધર્મરૂપી રત્નોનો ભંડાર છે. સમ્યકત્વ સર્વ દોષોથી મુકત વીતરાગ ભગવાન એ મારા ભગવાન છે. પંચ મહાવ્રતધારી સાધુ ભગવંતો એ મારા ગુરુ છે. અને વીતરાગ થવા માટે તીર્થકર ભગવંતોએ બતાવેલો ધર્મ એ મારો ધર્મ છે. આ સુદેવ, સુગુરુ અને સુધર્મનો હું સ્વીકાર કરું છું. તથા કુદેવ, કુગુરુ અને કુધર્મનો હું ત્યાગ કરું છું. સમ્યક્ત્વનો સ્વીકાર કરનાર શ્રદ્ધાળુ જે તે દેવ-દેવીઓ વગેરેની અંધશ્રદ્ધાઓમાં, માનતાઓ માનવામાં પડશે નહીં. ધન લાલસા વગેરે નિમિત્તે જે તે દેવદેવીઓને માનવા-નવા વગેરે માટે દોડશે નહીં. હા... ઘરના વડીલોનો આગ્રહ, સર્પદંશ, મહા-રોગ, મરણ સંકટ, દેવતાઈ ઉપદ્રવ વગેરે સંકટ આવી પડે ત્યારે ન છૂટકે કુળદેવી કે અન્ય કુદેવાદિને નમસ્કાર વગેરે કરવા પડે તો આમાં આગાર (ફૂટ) મૂકવામાં આવે છે. પણ તે બધું ગૌરવ, ભક્તિ કે આરાધનાની બુદ્ધિથી કરાય નહીં. માત્ર ન છૂટકે દેખાવ રૂપે જ કરવું પડે છે માટે કરવાનું હોય છે. (વિશેષ સમજ માટે મારું લખેલ 'સમકિત મૂલ બાર વ્રત’ નામનું પુસ્તક વાંચવું.) રસોડાનું તત્ત્વજ્ઞાન - ૬ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy