SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ IIIII 'પાઠ-૧૦: શ્રાવક જીવનના બાર વ્રતો વર્તમાનકાળમાં લોકો બાધા લેવા ઉપર એલર્જી રાખે છે. પણ આ બરાબર નથી. પ્રતિજ્ઞાઓ ઉપરની અરૂચિ એ મોટું પાપ છે. કદાચ કોઈ પ્રતિજ્ઞા ન લઈ શકાય તો તે જુદી વાત છે, પરંતુ પ્રતિજ્ઞા પ્રત્યે અણગમો રાખવો તે સારી વાત નથી. તીર્થકર ભગવંતો કહે છે કે પાપ ન કરવા છતાં પ્રતિજ્ઞા ન લેવાથી તે અંગેનું પાપકર્મ તો બંધાયા જ કરે છે. જેમ માંસ ન ખાવા છતાં તેની પ્રતિજ્ઞા ન લેવાથી તે અંગેનું અવિરતિ (અપ્રતિજ્ઞા) નામનું પાપ ચાલુ જ રહે છે. માટે પહેલા રાઉન્ડમાં જે જે પાપો નથી કરતાં તેની બાધા લઈ જ લેવી જોઈએ. માણસ આખા દિવસમાં થઈને ૩-૪ કલાક જ ખાતો હોય છે, છતાં પ્રતિજ્ઞાના અભાવે બાકીના સમયમાં ખાવાના પાપમાંથી મુક્તિ મળતી નથી. તમે રાત્રે નથી ખાતા, તમે બટાટા વગેરે અનેક ચીજો નથી ખાતા, પરંતુ પ્રતિજ્ઞા લીધી છે? ના... તો પ્રત્યેક પળે તે પાપ કરવાની છૂટ છે. પ્રત્યેક પળે તે પાપ થવાના ચાન્સ ઊભા છે. આ જ મોટું પાપ છે. તીર્થકર ભગવંતોએ પાપકર્મ બંધાવાના ચાર કારણો બતાવ્યા છે : (૧) મિથ્યાત્વ (પ્રભુના વચન ઉપર અશ્રદ્ધા) (૨) અવિરતિ (પાપની પ્રતિજ્ઞા ન લેવી તે) (૩) કષાય (કામ, ક્રોધ, લોભ, માયા, અહંકાર વગેરે દોષો) (૪) યોગ (મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિ) આમાં બીજા નંબરના પાપથી બચવા માટે સાધુ બનવું જોઈએ. જ્યાં સુધી સાધુ ન બની શકાય ત્યાં સુધી શ્રાવક જીવનના જુદા જુદા વ્રતો-નિયમો લેવા જોઈએ. - વિરતિધર્મ (પ્રતિજ્ઞાધર્મ) ખૂબ મહાન છે. બાધા લેવાથી પાપમાંથી સારી રીતે બચી જવાય છે. કદાચ કોઈ નિમિત્તે લીધેલી બાધા તૂટે તો પણ અંતરમાં પશ્ચાત્તાપ જાગે છે અને સદ્ગુરુ પાસે તેનું પ્રાયશ્ચિત્ત લેવાનું મન થાય છે. આ પણ એક પ્રકારનો મોટો ધર્મ છે. પ્રતિજ્ઞા ન લેનારને પાપની છૂટ છે, પશ્ચાત્તાપ કે પ્રાયશ્ચિત્તના ચાન્સ ઘણા ઓછા છે, માટે શકય વધુ પ્રતિજ્ઞાઓથી જીવનને નંદનવન જેવું બનાવી લેવું જોઈએ. ધ્યાનમાં રાખો: ખેતરને વાડ હોય છે, સરોવરને પાળ હોય છે અને ગાડીને બ્રેક હોય છે, તો આપણું જીવન પ્રતિજ્ઞાઓ રૂપી વાડ, પાળ કે બ્રેક વિનાનું કેમ રાખી શકાય ? જગતના પાપો અઢળક છે. આપણને જિનશાસન મળી જવાથી સહજ રીતે રસોડાનું તત્ત્વજ્ઞાન - ૬૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy