SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ વગેરે કરી દેવા જોઈએ. કચરો, કેળાની છાલ, કેરીના ગોટલા વગેરે જ્યાં ત્યાં ફેંકો નહીં. ઘરમાં વસ્ત્રો વગેરે જેમ-તેમ જ્યાં-ત્યાં પડ્યા ન રાખો. ઘરની ચીજવસ્તુઓ પણ જેમ-તેમ પડી ન રાખો. ઘરમાં હવા-ઉજાસ પણ હોવા જોઈએ. સ્વચ્છતા અને હવા-ઉજાસની જાળવણીથી જંતુઓનો ઉપદ્રવ અટકે છે. તેથી તે સંબંધી વિરાધનાથી પણ બચાય છે. જ કીડીઓ જો એક સ્થાને ભેગી થઈ જાય તો જાળવીને ખાવાનો પદાર્થ કે કોઈ જંતુ કલેવર હોય તે ઊઠાવી લો. કીડીઓ આપમેળે ચાલી જશે. કીડીઓની આજુબાજુ કંકુ, હળદર કે રાખ ભભરાવવાથી પણ તે ચાલી જાય છે. દીવેલ અને લોટની ગોળી બનાવીને મૂકવાથી પણ ચાલી જાય છે. જ ઉનાળામાં પાણી વગેરેના ઠંડા વાસણમાં કીડીઓ ચડવાની સંભાવના રહે છે. તે ન ચડે તેની કાળજી લેવી. કદાચ ચડીને અંદર કીડીઓ પડી ગઈ હોય તો કપડામાં ગાળીને લઈ લેવાથી થોડીવારમાં તે કીડીઓ ચાલવા લાગશે. આ રીતે માખી વગેરે પડે તો જાળવીને લઈ લેવા. જ માખી, મચ્છર વગેરે પડીને મરે નહીં તે માટે પાણી, દાળ, શાક, તેલ, ઘી, દૂધ, સાબુના ફીણ વગેરેના ભાજનો ખુલ્લાં ન મુકો. ખાદ્યપદાર્થો પણ ખુલ્લાં ન મુકો. તે ઢાંકેલા રાખવા યોગ્ય છે. કદાચિત્ માખી પડી જાય તો તુરત જાળવીને લઈ તેની આસપાસ ચૂનો ભભરાવવો. ગરમી મળવાથી થોડી વાર પછી તે ઊડવા લાગશે. મચ્છરોનું શરીર ખૂબ નાજુક હોય છે, તેને કદી અડો નહીં. શરીર ઉપર કરડે ત્યારે ત્યાં તુરત હાથન જવાદો. નહીં તો તુરત જ તે મરી જશે. વસ્ત્રાદિના છેડાથી તેને દૂર કરી શકો. જ કીડી, મચ્છર, માખી, વાંદા, ઊંદર વગેરે માટે જલદ પાવડર, જલદ દવાઓ કે ચોક વગેરેનો ઉપયોગ કદી ન કરો. ઘોર હિંસા દ્વારા ભયાનક પાપના ભાગીદાર બનશો. જ સાંજે ઘરના બારી-બારણા બંધ કરી દેવાથી મચ્છરો આવશે નહીં. અથવા બારીઓમાં ઝીણી જાળી ફીટ કરાવેલી હોય તો પણ મચ્છરો આવતા નથી. કેટલાક ભાઈઓ લીંબડાનો ધૂપ કરે છે, કેટલાક ઘર પાસે તુલસીનો ક્યારો રાખે છે, કેટલાક રાત્રે સૂતાં શરીરે લીંબોડીનું કે નારંગીનું તેલ (૨-૪ ટીપાં) શરીરે લગાવે છે. કેટલાક મચ્છરદાની વાપરે છે. ડી.ડી.ટી. છંટાવવી, મચ્છરો મરી જાય તેવા ધૂપ વાપરવા વગેરે બરાબર નથી. રસોડાનું તત્ત્વજ્ઞાન - ૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy