SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ અનાજ વગેરેમાં પડતાં ધનેરા વગેરેની, રસોડામાં થતી કીડીઓ વગેરેની પણ રોજની કેટલી બધી હિંસા! અરે ! જે વીજળીનો વપરાશ આજે ઘેર ઘેર છે, તે વીજળી જ્યાં પાણીના જળાશયોમાં પેદા કરવામાં આવે છે, તે જોઈ આવો તો ખબર પડે કે પાણીના નાના-મોટા માછલા-માછલી વગેરે જીવોનો કેટલો બધો અને કેવો સંહાર થાય છે ! સંડાસ અને વીજળીનો ઉપયોગ-આ બને એટલી મોટી ઘોર હિંસા સર્જે છે, કે માત્ર આ બે જ પાપ નરકોની ખાણ બની જાય છે. સંસારમાં રહીને સંપૂર્ણ જીવદયા પાળવી મુશ્કેલ છે. જીવદયા પ્રેમી હોય અને ઘોરાતિઘોર હિંસાના પાપથી બચવાઝંખતા હોય, તેવા પાપભીરૂ આત્માઓએ તો વહેલી તકે આ સંસારને ફગાવીને સાધુજીવનનો સ્વીકાર કરી લેવો જોઈએ. સાધુજીવનમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ કે ત્રસ જીવો કોઈની પણ હિંસા કર્યા વિના સમગ્ર જીવન નિર્વાહ મુખ-સમાધિ-સમતાપૂર્વક કરી શકાય છે. પ્રભુવીરે સમગ્ર હિંસાથી બચવા માટે બતાવેલી જીવન પદ્ધતિ એટલે સાધુજીવન. એક છોકરી. છ કર્મગ્રન્થ સુધીનો અભ્યાસ કરેલ. સગપણ થઈ ગયું. કોઈ કારણે તેને સાસરીયાના ઘેર-ગામડે જવાનું થયું. છાણા બાળીને રસોઈ બનાવવાની તી. એક છાણું તોડ્યું તો તેમાંથી કીડો નીકળ્યો. હચમચી ગઈ. આવા તો કેટલાય જીવોનો સંહાર કરીને આ સંસારી જીંદગી ચલાવવાની ! પાપ કરીને સંસારના ક્ષણિક સુખો ભોગવવા કરતાં સંયમજીવન શું ખોટું છે? આ છોકરીએ. ટુંક સમયમાં જ સંસારનો ત્યાગ કરીને દીક્ષા લઈ લીધી. આજે તો ગેસ અને વીજળી આવી છે, તેની હિંસા તો છાણા-લાકડાં કરતાં પણ લાખો ગણી વધુ છે. ત્રસ જીવોની જીવદયા પાળવા કોઈકે સૂચવેલા કેટલાક મુદ્દાઓ વાચકોની જાણ માટે: જ ઘર-દુકાન વગેરેમાં કીડી વગેરે સ્પષ્ટ દેખાય તેવું લોરીંગ હોવું જોઈએ. ચાલતાં કે કંઈ પણ કાર્ય કરતાં બરાબર જુઓ. રસોડામાં સવારે રસોઈના સાધનોનો ઉપયોગ કરતાં પહેલાં પંજણી વગેરેથી પુજો. બારી-બારણા બંધ-ખોલ કરતાં, ઘર વગેરે ઝાપટતાં કાળજી નહીં રાખો તો તમારા હાથે કોઈ જીવોનો સંહાર થઈ જશે. રોજ સાંજે ગેસના બર્નર ઉપર કપડું બાંધી દેવાથી અંદર જીવાત પેસશે નહીં. જે ઘરમાં કીડી, માખીઓ, મંકોડા, મચ્છરો, વાંદાઓ વગેરે નાના-નાના જીવો ઉત્પન્ન ન થાય તે માટે પહેલેથી સ્વચ્છતા જાળવવી જોઈએ. જ્યાં ત્યાં એંઠવાડો, ખાંડ, દૂધ, ઘી વગેરે ન પડે તેની કાળજી લેવી જોઈએ. પડી જાય તો તુરત સાફસૂફી રસોડાનું તત્ત્વજ્ઞાન - ૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy